15 APMC CLOSED : કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું જે બંધ થયા એ APMC હતા જ નહી

|

Sep 01, 2021 | 7:20 PM

સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. આ કાયદાથી ખેડૂતોને ફાયદો થયાનું કહ્યું.

GUJARAT : કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. એકાદ વર્ષથી દેશના વિવિધ રાજ્યોમાં કૃષિ કાયદો પરત ખેંચવાની માગ સાથે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે.. નવો કૃષિ કાયદો રદ કરવાની માગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્લી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ સરકાર ઝુકવા તૈયાર નથી. ત્યારે આ કૃષિ કાયદાની આડઅસર ગુજરાતના 224 માર્કેટયાર્ડમાં ઓછા વત્તા અંશે વર્તાઈ રહી હોવાનું ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાના કહેવા પ્રમાણે આ કાળા કાયદાના કારણે રાજ્યમાં 15 APMC બંધ થઈ ગઈ છે.જેમાં સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાલા, ધરમપુર, માંગરોળ, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, શિહોર અને તિલકવાડા APMCનો સમાવેશ થાય છે.અને ટૂંક સમયમાં 114 APMC બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે.

તો બીજીતરફ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કૃષિ કાયદાના કારણે APMC બંધ થયાની વાતને રદિયો આપ્યો.. દિલીપ સખિયાનું કહેવું છે કે જે બંધ થયા તે APMC હતા જ નહીં. અંગે તેમણે કહ્યું કે જે કૃષિ એકમો બંધ થયા તે APMC ન હતા પણ તેઓ પોતાની આજુબાજુના વિસ્તારની સેસ લઇ તેનું મેનેજમેન્ટ કરતા હતા.તો બીજી તરફ સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. આ કાયદાથી ખેડૂતોને ફાયદો થયાનું કહ્યું.

હાલ તો ખેડૂતોને નવા કૃષિ કાયદાથી કોઈ ફાયદો લાગી નથી રહ્યો.નવા કાયદથી સમિતિઓ અને કિસાનો સદ્ધર થવાની બદલે બેહાલ થઈ રહ્યા છે. ગંભીર અસર પડી રહી છે.. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એપીએમસીમાં કામ કરતા હજારો કર્મચારીઓની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઉભો થશે.

આ પણ વાંચો : GANDHINAGAR : વારસાઈ હક માટે પૂર્વ CM માધવસિંહ સોલંકીની પુત્રી મેદાનમાં, અખબારમાં ભાઈઓ સામે નોટીસ આપી ચેતવણી જાહેર કરી

Next Video