રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા કંચન સિદ્ધપુરા, જાણો કોણ છે કંચનબેન સિદ્ધપુરા અને કેવી છે તેમની રાજકીય કારર્કિદી

|

Mar 20, 2023 | 1:36 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી.

રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા કંચન સિદ્ધપુરા, જાણો કોણ છે કંચનબેન સિદ્ધપુરા અને કેવી છે તેમની રાજકીય કારર્કિદી

Follow us on

રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર કંચન સિદ્ધપુરાના નામની જાહેરાત કરાઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી. જે બાદ મેયર પ્રદિપ ડવે જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત રજૂ કરી હતી જેને તમામ સભ્યોએે ટેકો આપ્યો હતો અને કંચનબેનના નામની વિધીવત જાહેરાત કરવામાં આવી હતી.

કંચન સિદ્ધપુરાની રાજકીય કારર્કિદી

  • કંચન સિદ્ધપુરા 25 વર્ષથી ભાજપમાં સક્રિય છે.
  • વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે.
  • રાજકોટ શહેર ભાજપમાં ઉપપ્રમુખ, મંત્રી તથા મહામંત્રી તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે.
  • રાજકોટ શહેર ભાજપમાં મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
  • તેઓ લુહાર જ્ઞાતિના મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે.
  • આ ઉપરાંત જુદી-જુદી ચૂંટણીઓમાં અલગ અલગ જવાબદારી નિભાવે છે.

પાણીનો પ્રશ્ન હલ કરાશે, શાસકો સાથે મળીને કામ કરીશ: કંચન સિદ્ધપુરા

ડેપ્યુટી મેયર તરીકે પોતાના નામની જાહેરાત થયા બાદ કંચન સિદ્ધપુરાએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મારા કામની કદર કરી છે. હું રાજકોટ મહાનગરપાલિકાના તમામ શાસકો સાથે મળીને શહેરના જે પણ પ્રશ્નો હશે તેને હલ કરવાના પ્રયત્ન કરીશ. હાલ ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પાણીના પ્રશ્ને નિરાકરણ લવાશે તેવો દાવો કર્યો હતો.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

6 મહિના સુધીની રહેશે ટર્મ !

રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ હોય છે. ચાલુ ટર્મ પુરા થવામાં 6 મહિનાની મુદ્દત બાકી છે તે પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહે ડેપ્યુટી મેયર પદેથી રાજીનામૂં આપતા આ જગ્યા ખાલી થઇ હતી. જેથી બીપીએમસી એક્ટ પ્રમાણે આ નિમણૂક કરાઇ હતી. જો કે 6 મહિના બાદ ફરી નવી નિમણૂક થઇ શકે છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ દાવો કર્યો હતો કે આ નિર્ણય ભાજપનું મવડી મંડળ લેતું હોય છે. પક્ષ એક જવાબદારી પૂરી થાય પછી બીજી જવાબદારી પણ આપતા હોય છે.