Rajkot: વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા થશે તેમ લોકોને લાગી રહ્યું છે. પરંતુ વરસાદ ખેંચાશે તો રાજકોટને (Rajkot) પાણીની સમસ્યા નહીં નડે તેઓ દાવો રાજકોટના મેયરે કર્યો છે. આપને જણાવી કે રાજકોટના મેયરે કહ્યું છે કે રાજકોટમાં થોડા સમય સુધી પાણીની કોઈ તંગી નહીં રહે.
આગામી બે મહિના સુધી પાણીની સમસ્યા નહીં નડે તેવો દાવો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે હાલ રાજકોટને પાણી પુરુ પાડતા ડેમમાં 50ટકા પાણીનો જથ્થો છે. આજી ડેમની જળસપાટી 15.5 ફૂટ છે. રોજનો 20 એમસીએફટી પાણીનો ઉપાડ છે માટે આગામી બે મહિના સુધી લોકોને પાણી મળી રહેશે.
આ પણ વાંચો: Monsoon : લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની થશે રીએન્ટ્રી, 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે