આજની ઇ-હરાજી : તમે પણ રાજકોટ જિલ્લામાં ખરીદવા માગો છો મિલકત ? આ રીતે ઓછી કિંમતમાં મળી જશે

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : તમે પણ રાજકોટ જિલ્લામાં ખરીદવા માગો છો મિલકત ? આ રીતે ઓછી કિંમતમાં મળી જશે
| Edited By: | Updated on: Nov 30, 2023 | 9:46 AM

રાજકોટ: ગુજરાતના રાજકોટના ટંકારામાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 628.20 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- આજની ઇ-હરાજી : ભાવનગરના આનંદનગરમાં ફ્લેટ ખૂબ ઓછી કિંમતમાં ખરીદવાની તક, જાણો વિગત

તેની રિઝર્વ કિંમત 6,30,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 63,000 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 7 હજાર રુપિયા છે.તો ઇ-હરાજીની તારીખ 15 ડિસેમ્બર 2023,શુક્રવારે બપોરે 12 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો