રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની આજે મતગણતરી, 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

|

Oct 06, 2021 | 7:39 AM

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું મંગળવારે મતદાન પૂર્ણ થયું હતું. ખેતી વિભાગમાં 95.41 ટકા મતદાન થયું હતું. તો વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું.

રાજકોટના(Rajkot)  બેડી માર્કેટિંગ યાર્ડની(Bedi Market Yard) ચૂંટણીની આજે મતગણતરી(Counting) હાથ ધરાશે. બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ 14 બેઠકો છે, જેમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકોનો સમાવેશ થાય છે.ત્યારે 14 બેઠકો પરના 32 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.

મંગળવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ખેતી વિભાગમાં 95.41 ટકા મતદાન થયું હતું.જ્યારે વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું.ત્યારે ટુંકસમયમાં શરૂ થનારી મતગણતરી બાદના પરિણામો સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરશે.

મહત્વપૂર્ણ છે કે ખેડૂત વિભાગમાં 1,462માંથી 1,395 મતદારોએ મતદાન કર્યું હતું.જ્યારે વેપારી વિભાગમાં 570માંથી 541 મતદારોએ મતદાન કર્યું.આ વખતે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ સામે ભારતીય કિસાન સંઘની પેનલ મેદાનમાં છે.

જેમાં ભાજપ પ્રેરિત પેનલ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી લડી રહી છે…ત્યારે સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન કોને મળે છે તે થોડીવારમાં સ્પષ્ટ થઇ જશે.

ખેડૂતો વિભાગમાં 1462માંથી 1,395 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો  હતો. જ્યારે વેપારી પેનલમાં 570માંથી 541 મતદારોએ મતદાન કર્યું.આ વખતે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલની સામે ભારતીય કિસાન સંઘની પેનલ મેદાને છે.

જેમાં ભાજપ પ્રેરિત પેનલ જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાઈ રહી છે. ત્યારે જયેશ રાદડિયાએ ૯૮ ટકા મતદાન પોતાના તરફી થશે અને વિજય થશે તેવો દાવો કર્યો છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ વરસ્યો, પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી થઈ

આ પણ  વાંચો: Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

Published On - 7:35 am, Wed, 6 October 21

Next Video