RAJKOT : શહેરના કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાલાવાડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં આગ લાગતા અહીં કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હોવાના સામાચાર છે.ઘાયલ થયેલા આ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ આગ લાગી કે કોઈએ લગાડી,સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી
Published On - 9:39 am, Thu, 12 August 21