Dwarka: કોરોના(corona)ની બીજી લહેરમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા કપરા સમયે અનેક સેવાભાવી સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવા કરી રહ્યા છે. અનેક દાતાઓ જરૂરી મદદ કરવા માટે આગળ આવ્યા છે. દેવભુમિદ્રારકા જીલ્લાના મથુરાભુવનમાં કોરોના પોઝીટીવ દર્દીઓ માટે કોરોન્ટાઈન સેન્ટર કાર્યરત થતા દર્દીઓ માટે રાહતરૂપ બની રહેશે.
દ્રારકાના મથુરાભુવનમાં કોરોન્ટાઈન્ટ માટેની તમામ સુવિધા સાથે કોરોન્ટાઈન સેન્ટર કાર્યરત થયુ. 100 બેડની ક્ષમતા વારા આ કોરોન્ટાઈન સેન્ટરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને જેમને હોમ કોરોન્ટાઈન થવાની તબીબી સલાહ હોય તેવા દર્દીઓને રાખવામાં આવશે. હાલના સમયમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ઘરમાં કોરોન્ટાઈન થવા માટે પુરતી વ્યવસ્થા કે વધુ રૂમ ના હોય અથવા દર્દીના પરીવારના સભ્યોને સક્રમણ થવાની શકયતા રહેતી હોય છે.
તેવા સમયે આવા કોરોન્ટાઈન સેન્ટરમાં દર્દીઓને રાખવામાં આવે તો અન્ય લોકોને સક્રમણ ના થાય તેમજ દર્દીને કોરોન્ટાઈન વખતેની તમામ પ્રકારની સુવિધાઓ મળી શકે તે માટે સેવાના હેતુથી અંહીના 40 જેટલા યુવાન સ્વયંસેવકો આ કોરોન્ટાઈન સેન્ટરમાં સેવા કરશે. કોરોન્ટાઈન સેન્ટરમાં દર્દીઓ માટે ચા, નાસ્તો, ભોજન, નિયત દિવસ માટે રહેવાનુ, દવા, ફુટ, ઉકાળા સહીતની વ્યવસ્થા રાખવામાં આવી છે.
કોરોન્ટાઈન સેન્ટરમાં નસીંગ સ્ટાફ અને તબીબ પણ સેવા બજાવશે. આ કોરોન્ટાઈન સેન્ટરમાંનો તમામ ખર્ચની જવાબદારી દ્રારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકએ સ્વીકારી છે, તેમજ કોરોના કેસ વધે તો વધુ 1000 બેડની વ્યવસ્થા કોરોન્ટાઈન સેન્ટર માટે કરવાની તૈયારી દર્શાવી તેનુ આયોજન કર્યુ છે. સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ સંપુર્ણ સુવિધાયુકત કોરોન્ટાઈન સેન્ટર લોકસેવામાં કાર્યરત કરવામાં આવ્યું. હાલ બે દિવસથી કાર્યરત કોરોન્ટાઈન સેન્ટરમાં 15 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોન્ટાઈન થયા છે.
Published On - 4:00 pm, Mon, 26 April 21