ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં મળે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો છે કે, ફી ભરવા ન માગતા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે જૂન મહિનાથી જે વાલીઓએ ફી નથી ભરી, જે વાલીઓ શાળા સાથે વાત કરવા તૈયાર નથી, જે વાલીઓ ભવિષ્યમાં ફી ભરવા નથી માગતા અને શાળાને પોતાની મુશ્કેલી જણાવવા નથી માગતા તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે. જો 15 ડિસેમ્બર સુધી આવા વાલીઓના જવાબની રાહ જોવામાં આવશે, ત્યારબાદ પણ જે વાલીઓ શાળાનો સંપર્ક નહીં કરે તેના બાળકને ઓનલાઈન શિક્ષણ નહીં મળે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે કે 85થી 90 ટકા વાલીઓ માટે ફી ભરવાની કોઈ તકલીફ નથી, પણ જેમને ફી માટે હેરાન કરાતા હોય અને તેઓ ફી ભરી શકે તેમ ન હોય તેમણે શાળા સંચાલક મંડળનું ધ્યાન દોરવું જોઈએ.
આ પણ વાંચો: ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ “જલેશ” અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 5:10 pm, Mon, 30 November 20