PORBANDAR : ભારત પાકિસ્તાનના 1971માં યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોની યાદમાં સરકારે મશાલ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે મશાલ યાત્રા પોરબંદર પહોંચી હતી. આ યાત્રા દિલ્હીથી શરૂ થયેલી છે. સ્વર્ણિમ વિજય વર્ષ અંતર્ગત શહીદોના વતનની માટી એકત્ર કરી શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અતર્ગત શહીદ પરિવારોને પોરબંદરમાં આવેલ આઈ.એન.એસ સરદાર પટેલ પોર્ટ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને બહુમાન આપ્યું હતું. અલગ અલગ રાજ્યોના સંસ્કૃતિક કાર્યકર્મોની ઝાંખી રાખવામાં આવી હતી. શહીદોના વતનની માટી એકત્ર કરી અંતે કોલકોતાના વોર મેમોરિયલમાં મૂર્તિ બનશે.
Published On - 7:31 pm, Thu, 12 August 21