Porbandar : પત્નીએ પોતાના પ્રેમને પામવા પ્રેમીના મિત્રો સાથે મળી પતિની હત્યા કરી

|

May 25, 2023 | 7:41 AM

આ સમગ્ર મામલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.  નીતા  બે વર્ષથી રહીમના પ્રેમમાં પાગલ બની હતી અને કાયા રામ તેમને પ્રેમમાં નડતરરૂપ બનતો હતો. એટલે નીતા અને રહિમે તેમના મિત્રો સાથે મળી કાયા રામનું ઢીમ ઢાળી દીધું.હાલ તો આરોપીઓ વિધર્મી છે. લવ જેહાદ જેવી ઘટના બની છે.નીતાને રહિમે પોતાની પ્રેમજાળમાં ફસાવી અને નીતાના પતિની હત્યા કરી દીધી છે.

Porbandar : પત્નીએ પોતાના પ્રેમને પામવા પ્રેમીના મિત્રો સાથે મળી પતિની હત્યા કરી
Porbandar Husband Murder

Follow us on

પોરબંદર (Porbandar) પત્નીએ પોતાના પ્રેમને પામવા પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળી સરાજાહેર હત્યા(Murder)  કરાવી. પત્ની પોતાના હાથમાં વાગ્યું હોવાનું નાટક કર્યું. પરંતુ પોલીસે પત્ની જ હત્યાના કાવતરામાં સામેલ હોવાથી ધરપકડ કરી છે. જેમાં પત્નીની ધરપકડ કરી પોલીસે ઘટના સ્થળ પર રી કન્ટ્રક્શન પણ કર્યું છે. પોરબંદર પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ હત્યાના બનાવો બનતા ફરી ક્રાઇમ રેટમાં વધારો થવા લાગ્યો. જોકે એક સપ્તાહમાં જિલ્લામાં ચાર હત્યા થઈ છે. પરંતુ કમલાબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ ત્રણ હત્યાની ઘટનાથી શહેરમાં ચર્ચા જાગી છે.

પોરબંદર શહેરમાં ગઈકાલે ખીજળી પ્લોટમાં લગભગ 9:30 વાગ્યે જાહેરમાં છરી મારી યુવક કાયા રામ ગઢ નામના વ્યક્તિની હત્યા થયેલ. જેમાં તેમાં છરી મારી હત્યા થયેલ તે સમયે ટોળા એકઠા થયા. ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવેલ સારવાર દરમિયાન મોત થયેલ છે. જેમાં કાયા રામ ગઢવી એમના પત્ની સાથે એમ.જી.રોડ પર પસાર થયેલ તે સમયે રહીમ હુસેન ખીરાણી, મેરાજ ઇકબાલ પઠાણ, તોફિક અનિષ ભટી નિતા કાયાભાઈ ગંઢ ચારેય મળી હત્યાનું કાવતરું રચી કાયા રામની હત્યા કરેલ છે.

રહીમ અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ હતો નીતા રહીમ સાથે બે વખત નાસી ગયેલ હતી. નીતા અને રહીમ બંનેએ એક થવા ઘટના પાર પાડેલ હતી. ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરી છે. રહીમ પોરબંદરનો રહેવાસી છે નિતાના સંપર્કમાં આવેલ અને પ્રેમ સંબંધ થયો હતો.કાયા સાથે ઝઘડો થતાં ગોંડલ જતો રહ્યો હતો. હાલ ચારમાંથી કોઈના ગુના સામે આવેલ નથી. આ સમગ્ર ઘટનામાં પૂર્વયોજિત કાવતરું હતું. જે બાબતે પોલોસે રી કન્ટ્રક્શન કરેલ છે. આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ જપ્ત કરેલ છે. ટેક્નિકલ સર્વેલન્સથી કામ ચાલી રહ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ સમગ્ર મામલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.  નીતા  બે વર્ષથી રહીમના પ્રેમમાં પાગલ બની હતી અને કાયા રામ તેમને પ્રેમમાં નડતરરૂપ બનતો હતો. એટલે નીતા અને રહિમે તેમના મિત્રો સાથે મળી કાયા રામનું ઢીમ ઢાળી દીધું.હાલ તો આરોપીઓ વિધર્મી છે. લવ જેહાદ જેવી ઘટના બની છે.નીતાને રહિમે પોતાની પ્રેમજાળમાં ફસાવી અને નીતાના પતિની હત્યા કરી દીધી છે.

જ્યારે નીતા તેના પતિ અને બે પુત્રો સાથે બાઇક પર ફરવા નિકળી ત્યારે નીતાએ રહીમને મેસેજ કરી જાણ કરી હતી અને કાવતરાના પ્લાન મુજબ જ આરોપી ઘટના સ્થળ નજીક હાજર હતા અને પતિ પત્ની બાળકો નીકળ્યા એટલે બાઇક આતરી છરીઓના ઘા મારી હત્યા કરી પોલીસની શરણાગતિ સ્વીકારી લીધી હતી. હવે હાલ તો એવી પરિસ્થિતિ છે કે પિતાની હત્યા થઇ, માતા જેલમાં છે ત્યારે બાળકો નોંધારા બની ગયા છે

Next Article