ગુજરાત કોસ્ટ ગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ફિશિંગ બોટ ઓખાથી 30 નોટિકલ માઈલ દૂર ફિશિંગ કરતી હતી. જેમાં જયજ્યોતિ નામની ફિશિંગ બોટના માછીમારની તબિયત લથડતા વી.એચ.એફ થી કોસ્ટગાર્ડની મદદ માંગી હતી. કોસ્ટગાર્ડની ઇન્ટરસેપટર સી 411 દ્વારા બિમાર પડેલ માછીમારને રેસ્ક્યુ કરી ઓખા લાવવામાં આવ્યો હતો. જેમાં માછીમારને ફિશિંગ દરમિયાન પેરેલીસીસનો એટેક આવ્યો હોવાનું મેડિકલ સારવારમા સામે આવ્યુ છે. તેમજ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
Published On - 5:26 pm, Sun, 30 October 22