PORBANDAR : હાલમાં કોરોનાની મહામારીની બીજી લહેર ઠંડી પડી છે. પરંતુ, હજુ દેશભરમાં ત્રીજી લહેર આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કોરોનાને લઇને રાજયભરમાં મેળાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોરબંદરનો પ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો પણ રદ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાતો પાલિકા સંચાલિત જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. અને, ત્રીજી લહેરની સંભાવનાને લઇને મેળો રદ કરવાનો નિર્ણય કરાયો છે. નોંધનીય છેકે ત્રીજી લહેર અતિ ગંભીર હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. જેથી કોરોનાને લઇને અગમચેતી રાખવી જરૂરી છે.