PM મોદી(Pm Modi) અને અમિતશાહએ આજે ગુજરાતની મુલાકાત લીધી. રાજકોટના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આટકોટ પહોંચતાં જ પાટીદાર સમાજના અગ્રણીઓએ પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. બાદમાં પીએમ મોદીએ આટકોટમાં સભા સંબોધી. જેમાં તેમણે કહ્યું કે તેઓ ગુજરાતની જનતાએ આપેલી શિક્ષા અને સંસ્કારથી 8 વર્ષ દેશની સેવા કરી છે. 8 વર્ષમાં એવું એકપણ કામ નથી કર્યું કે જેનાથી નીચુ જોવું પડે. બાદમાં જસદણથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં મહાત્મા મંદિરમાં યોજાનારા ‘સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં સંબોધન કર્યુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહયા.
Published On - 7:03 am, Sat, 28 May 22