પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને, મોંઘવારીના મારથી સામાન્ય પ્રજા પરેશાન

|

Oct 11, 2021 | 12:55 PM

પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થતા મધ્યમવર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. સામાન્ય લોકો હોય કે ખેડૂતો સૌને માર પડી રહ્યો છે. ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતા ખેડૂતોનો ખર્ચ વધી ગયો છે. ત્યારે સામાન્ય જનતાની હાલાકી સમજીને સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત સાતમાં દિવસે વધારો નોંધાયો. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તો રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધુ થયા છે. જો ડીઝલની વાત કરીએ તો રાજકોટ, સુરત અને વડોદરામાં ડીઝલના ભાવ 100 રૂપિયાથી સહેજ દૂર છે. આ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી મધ્યમવર્ગ પરેશાન થઈ ગયો છે. ઈંધણના ભાવને પગલે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને આંબી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે મળશે તેની મધ્યમવર્ગ કાગડોળે રાહ જોઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થતા મધ્યમવર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. સામાન્ય લોકો હોય કે ખેડૂતો સૌને માર પડી રહ્યો છે. ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતા ખેડૂતોનો ખર્ચ વધી ગયો છે. ત્યારે સામાન્ય જનતાની હાલાકી સમજીને સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

તો બીજી તરફ તહેવારોની મોસમ શરૂ થતાની સાથે જ ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો થતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયાં છે. સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં ખાધતેલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થતા લોકોની હાલાકી વધી છે.એવામાં સરકારે ખાધતેલના ભડકે બળતા ભાવને કાબૂમાં લેવા માટે સ્ટોકમર્યાદા લાદી છે.

 

આ પણ વાંચો : Navratri 2021: માતાના 9 સ્વરૂપો સાથે આ 9 ઔષધિઓનો સંબંધ, તેનું સેવન અનેક રોગો માટે ફાયદાકારક

આ પણ વાંચો : Power cuts Punjab : પંજાબમાં 13 ઓક્ટોબર સુધી રહેશે વીજળી કાપ, કોલસાથી ચાલતા પ્લાન્ટ 50 ટકા ક્ષમતા પર કાર્યરત છે

Next Video