માતાજીના ભક્તો માટે સારા સમાચાર: નોરતા નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

માતાજીના ભક્તો માટે સારા સમાચાર: નોરતા નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

| Edited By: | Updated on: Oct 04, 2021 | 5:35 PM

નવરાત્રીમાં દર્શનાર્થે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સમયની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 ઓક્ટોમ્બરથી મંદિરના દ્વાર સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ ભક્તો પાંચમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નવરાત્રી નિમીત્તે ભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તો માતાજીના દર્શન કરી શકે.

આગામી 7 ઓકટોબરથી નવરાત્રી શરુ થઇ રહી છે. આ પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ આવતા હોય છે. જેને લઈને હવે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને ભક્તોને દર્શન કરવાનો પુરતો સમય મળી રહે. અને માતાજીના પ્રાંગણમાં ભીડ ભેગી ન થાય. તમને જણાવી દઈએ કે નવરાત્રીના થોડાક જ દિવસો બાકી છે ત્યારે અત્યારે પણ માર્ગ પર માતાજીના ભક્તો પગપાળા સંઘ રથ સાથે પાવાગઢ તરફ જતા જોવા મળે છે.

 

આ પણ વાંચો: ગંભીર: તહેવારોની તૈયારી વચ્ચે AHNA ની ચેતવણી, ‘જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે’

આ પણ વાંચો: ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય

Published on: Oct 04, 2021 05:34 PM