PATAN : કેમ રાજકારણી લોકો કોરોનાની બીજી લહેરની ભયાનકતા ભુલી જાય છે ? રાજકારણીઓ જાણે કોરોનાનો જરા પણ ભય ન રહ્યો હોય તે રીતે ભીડ એકઠી કરી લોકોને મૂસીબતમાં મૂકી રહ્યા છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરએ રક્તદાન કેમ્પ અને કારોબારીના નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સભ્યો સભામાં હાજર રહી કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. સભામાં હજારો લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.