પાટણ(Patan) ના નવા બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નવા બસ સ્ટેશન(Bus Station) માં વરસાદી પાણીનો કાયમી નિકાલ તેમજ બસ સ્ટેશનની કચેરીમાં ગંદકી દુર કરવા તંત્રને રજુઆત કરી હતી. તેમજ આગામી બે દિવસમાં વ્યવસ્થા નહિ કરવામાં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Published On - 8:12 pm, Mon, 26 July 21