પાટણના શંખેશ્વર નજીક હીટ એન્ડ રનની ઘટના, 3 પદયાત્રીઓના મોત

|

Aug 29, 2022 | 11:35 PM

પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં 3 પદયાત્રીઓના મોત થયા છે. અજાણ્યા વાહનની ટક્કરે પદયાત્રીઓના મોત થયા છે.

પાટણના શંખેશ્વર નજીક હીટ એન્ડ રનની ઘટના, 3 પદયાત્રીઓના મોત
Heat and run incident
Image Credit source: tv9 gfx

Follow us on

ગુજરાતના પાટણથી (Patan) એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના શંખેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ હીટ એન્ટ રનની (Heat And Run) ઘટના પાટણના શંખેશ્વર નજીક મોડી સાંજે બની છે. અજાણ્યા વાહનની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ હીટ એન્ડ રનમાં ૩ પદયાત્રાઓના કરુણ મોત થયા છે. જ્યારે 4થી વધારે પદાયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ માટે પોલીસ કામે લાગી ગઈ છે.

શંખેશ્વર નજીક અજાણ્યા વાહન ચાલકે એક રીક્ષાને ટક્કર મારી હતી, જેની અડફટે પદયાત્રીઓ પણ આવી ગયા હતા. આ પદયાત્રીઓ રાઘનપુરથી ચોટીલા દર્શન માટે પગપાળા જતા હતા. જેમાં શંખેશ્વર નજીક અકસ્માત નડતા મોડી સાંજે રસ્તાઓ મરણ ચીસોથી ગૂંજી ઉઠયા હતા. રસ્તા પર રીક્ષાનો કાટમાળ, પદયાત્રીઓના મૃત શરીર, લોહીના છાંટા અને ઘાયલોના શરીર પડ્યા હતા, જે હાલ એક એક શ્વાસ માટે ઝઝૂમી રહ્યા છે. આવી દર્દનાક સ્થિતિમાં મદદ કરવાના સ્થાને અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો. સ્થાનિકોએ આગળ આવી સ્થિતિને સંભાળી હતી. જણાવી દઈ કે આ ઘટનામાં રીક્ષાનો કચ્ચુમ્બર બની ગયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગમખ્વાર હીટ એન્ડ રનની ઘટના

ઘટનાસ્થળ અને હોસ્પિટલથી ભયાનક અને રુવાટા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હીટ એન્ડ રનની ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળ અને હોસ્પિટલ પહોંચી જરુરી કામગીરી કરી રહી છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની શોધખોળ ઝડપથી થઈ રહી છે.

શ્રાવણ અને ભાદરવા માસમાં ગુજરાતમાં અનેક લોકમેળા અને પદયાત્રા યોજાતી હોય છે. જેમાં લાખો લોકો પગપાળા પદયાત્રા માટે નીકળતા હોય છે. તેવામાં પદયાત્રીઓનું એક ટોળુ શંખેશ્વર નજીકથી પસાર થઈ રહ્યુ હતુ, જેને અકસ્માત નડયો હતો. આ પદયાત્રીઓ મનમાં ભક્તિભાવ અને આંખમાં ચોટીલામાં ચામુડા માતાના દર્શનની આશા લઈને રાધનપુરથી નીકળ્યા હતા. પણ રસ્તામાં તેમને વર્ષો સુધી ના ભૂલાઈ તેવો અકસ્માત અને પોતાના પ્રિયજનનો મૃત શરીર જોવા પડ્યા હતા.

 

Published On - 10:45 pm, Mon, 29 August 22

Next Article