Panchmahal : ગોધરાકાંડના જેલમાં બંધ આરોપીને જામીન પર છોડાવવા ખોટા સોલવન્સી રજુ કર્યાની ઘટના સામે આવી છે. ગોધરાકાંડના આરોપી સલીમ જર્દાને છોડાવવા ઐયુબ જર્દા નામના શખ્સે ખોટા સોલન્સીનો ઉપયોગ કર્યો હતો. ખોટા જામીન રજૂ કરાવી સલીમ જર્દાને છોડાવવાની યોજના કરી હતી.ખોટા સોલ્વન્સી રજૂ કરનાર ઐયુબ જર્દાની પોલીસે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી અટકાયત કરી છે. સમગ્ર બાબતે વડોદરાના રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ખોટા સોલવન્સી રજુ કરનાર ઐયુબ જર્દા હાલ પોલીસ હિરાસતમાં છે.