Panchmahal : પંચમહાલ જિલ્લામાં વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને તડીપાર કરવાની નોટિસ આપવાનો મામલો ગરમાયો છે. આ મામલે શહેરા તાલુકાના સરપંચો,તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જે.બી.સોલંકી સામે કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. જેમાં સ્થાનિક વાતાવરણમાં સુલેહ શાંતિનો ભંગ થતો હોવાની આશંકાથી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ સાથે જ જે.બી.સોલંકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની પણ રજૂઆત કરાઇ છે. જે.બી.સોલંકી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પણ ખોટા અને પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે. સાથે જ જે.બી.સોલંકીને પાસા હેઠળ ધકેલવાની માગ કરાઇ છે.