
પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક દર્દનાક દુર્ઘટનામાં બે બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન મજૂરો માટે કોઈ પ્રકારની સુરક્ષા ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સેજલપુરા ગામે એક નવા મકાનના પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુની દુકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતાં કુલ 11 લોકો દટાઈ ગયા હતા જેમાંથી ત્રણનાં મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં અહીં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારબાદ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તમામને બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:46 am, Mon, 7 September 20