Navsari : જિલ્લાના વિજલપોરમાં બેદરકારીનો લગ્નપ્રસંગ યોજાયો હતો. અહીં નિયમ કરતા વધુ મહેમાનો એકઠા થયા હતા. અને નિયમ ભંગ સાથે વરઘોડો નીકળ્યો અને સોશિયલ ડિસ્ટન્સ વગર જમણવાર પણ યોજાયો હતો. આ નિયમ ભંગની જાણ થતા જ આમંત્રણ વગર પોલીસ પહોંચી ગઇ હતી.અને આયોજકો સહિત અન્ય લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.
વિજલપોરની પાટીલ સમાજની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટાપાયે બેદરકારી જોવા મળી હતી. અને ક્યાંક નિયમોનું નામોનિશાન જોવા નહોતું મળ્યું. જો આવી જ બેદરકારી દાખવો તો ત્રીજી લહેરને કોઇ નહીં રોકી શકે.