મોરબીની દુ:ખદ પુલ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થયો છે જોકે ચૂંટણીના સમયે ફરી એક વાર આ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે મોરબી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમણે આક્ષેપ કર્યો કે આ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે હતભાગી મૃતકોના પરિવારજનોને આશ્વાસન નથી આપ્યું તેમજ આ મોટી દુર્ઘટના બાદ યોગ્ય પગલાં પણ લેવામાં નથી આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ દ્વારા મોરબી દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Politics heats up again over Morbi pool tragedy as Congress candidate Jayanti Patel targets BJP#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/Zxt7PLQhgd
— Tv9 Gujarati (@tv9gujarati) November 30, 2022
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ. 6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.
Published On - 2:49 pm, Wed, 30 November 22