મોરબીમાં રાજાશાહી સમયનો ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અત્યાર સુધીમાં 136 થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી ઘટના ઘટી એ રાતથી મોરબીમાં છે અને રાહત અને બચાવ કામગીરીની સતત દેખરેખ રાખી રહ્યા છે. સરકારે મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1 નવેમ્બરે બપોરે મોરબી જશે અને દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે
2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક;
સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે #morbi #morbibridge #morbitragedy #TV9News pic.twitter.com/OyTnljKB4U— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક; તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ ; PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય#TV9News pic.twitter.com/1TXDUCBKdS
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ સાથે ઘટના સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમા મોરબીમાં રેસક્યુ કામગીરી અંગે પીએમને અહેવાલ રજૂ કરાયો હતો. બેઠકમાં પીએમએ અસરગ્રસ્તોને તમામ રીતે મદદ કરવા તાકીદ કરી હતી.
Gujarat | PM Modi chaired a high level meeting to review the situation in #Morbi, at Raj Bhavan, Gandhinagar earlier today
He was briefed about ongoing rescue operations at the site. PM once again emphasised on ensuring that those affected get all possible assistance#TV9News pic.twitter.com/FZWA9DLbi3
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 136 થયો છે. જેમા 56 બાળકોના મોત થયા છે. આ ગોજારી દુર્ઘટનામાં મૃતકોમાં મોટાપાયે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. 78 પુખ્તવયના લોકોના પમ મોત થયા છે.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓના નામ #morbi #morbibridge #morbitragedy #TV9News pic.twitter.com/vywrfWkhVi
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
“Total 9 people have been arrested in #Morbi case” : Ashok Kumar Yadav, Range IG#TV9News pic.twitter.com/8KkrPe9Thh
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
“Manager of Oreva company has also been detained in #Morbi case”: Ashok Kumar Yadav, Range IG#TV9News pic.twitter.com/LIKcRJlrLF
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
Entry to Atal Bridge is now restricted on an hourly basis#Ahmedabad #TV9News pic.twitter.com/txkc2AScFg
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
Accused detained in the #Morbi tragedy taken to hospital for a check-up#MorbiBridge #TV9News pic.twitter.com/WVUgVmpiQS
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી પૂલ દુર્ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરતા 9 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ પરમાર, દિલિપ ગોહિલ, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, મહાદેવ સોલંકી, મુકેશ ચૌહાણ, દીપક પારેખ, દિનેશ દવે, મનસુપ તોપિયા નો સમાવેશ થાય છે.
મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકામાં 136 લોકોના મોત થયા છે. ત્યારે દેશ વિદેશમાં લોકો શોકસંદેશ પાઠવી રહ્યા છે. જેમા તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈલામાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જેમણે તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
મોરબીની દુર્ઘટનામાં જામનગર જિલ્લાના 10 લોકોના મોત થયા છે. જામનગરના કાલાવડના ખરેડી ગામના 3 લોકોના મોત થયા છે. મોરબીની દુર્ઘટનાને પગલે ખરેડી ગામ હિબકે ચડ્યું છે. મુસ્લિમ પરિવારના બે બાળકો અને માતાનું મોત થયુ છે. ખરેડી ગામેથી ત્રણેય મૃતકોની અંતિમયાત્રા નીકળી છે.
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બનતા હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જો કે આ પ્રસંગે મોરબી દુર્ઘટનાને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે, આખી રાત હું વિચારતો રહ્યો કે કાર્યક્રમ કરુ કે ન કરુ ? ભારે હૃદય સાથે હું કાર્યક્રમ કરી રહ્યો છું. તેમણે કહ્યુ કે, હું વાયદો કરુ છુ કે સરકારની કામગીરીમાં કોઇ કચાશ નહીં રહે.
મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાને 20 કલાક કરતા વધુ સમય પસાર થઈ ચુક્યો છે. આ દુર્ઘટના સ્થળે કલાકો બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ બનેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. તો પોલીસના જવાનો અને નિષ્ણાંત તરવૈયાઓ પણ બચાવ કામગીરી કરી રહ્યાં છે.
“ભારતમાં યુએસ મિશન ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાના સમાચારથી ખૂબ જ દુઃખી છે. આ ભયંકર દુર્ઘટનાના પીડિતો અને પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે,” યુએસ એમ્બસી,ભારત
US Mission in India condoles the loss of lives in #MorbiBridgeCollapse
“US Mission in India is deeply saddened by the news of collapse of a suspension bridge in Morbi, Gujarat. Our condolences go out to the victims and families of this terrible tragedy,” tweets US Embassy,India— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી દુર્ઘટનાને લઇને સાઉદી અરબ તરફથી પણ સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં એક ઝૂલતા પુલના દુર્ભાગ્યપૂર્ણ પતનને કારણે સંખ્યાબંધ જાનહાનિ થઈ છે. ત્યારે વિદેશ મંત્રાલય, ભારતના મૈત્રીપૂર્ણ પ્રજાસત્તાક પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.
Ministry of Foreign Affairs expresses sincere condolences to the friendly Republic of India, due to the unfortunate collapse of a suspension bridge in the western Indian state of Gujarat, which caused a number of casualties: Foreign Affairs Ministry, Saudi Arabia#TV9News pic.twitter.com/pndnglFUI6
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ ચોતરફ કરૂણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગોઝારી દુર્ઘટનામાં 36 મુસ્લિમોના મોત થતા હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા છે. એક સાથે 36 મૃતકોની અંતિમવિધિ માટે કબ્રસ્તાનમાં તૈયારી ચાલી રહી છે. ગઇકાલ રાતથી જ 150 સેવાભાવી લોકોની ટીમ મૃતકોને માનભેર અંતિમ વિદાય આપવા માટે કામે લાગી છે.
રાજસ્થાનના CM અશોક ગેહલોતે મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મોરબી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને તેઓ મળ્યા હતા. જે પછી તેમણે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગ કરી છે. 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાની અશોક ગેહલોતે માગ કરી છે. SIT કોઇ વિકલ્પ ન હોવાનો ગેહલોતનો દાવો છે. પુલ પર વધુ લોકો હોવાથી દુર્ઘટના થઇ હોવાનો અશોક ગેહલોતે દાવો કર્યો છે.
Congress leader & Rajasthan CM Ashok Gehlot visited Civil Hospital to meet the injured patients of the #MorbiTragedy #MorbiBridge #GujaratBridgeCollapse #TV9News pic.twitter.com/nTcBtJeCSc
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર કેબલ બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
An awful tragedy happened yesterday in Morbi! Profound condolences to the relatives of those many perished, to Prime Minister Modi and all the people of India and Gujarat! Speedy recovery to the injured!: Russian Ambassador Denis Alipov#MorbiBridgeCollapse
(File photo) pic.twitter.com/d1NLg7FDmm
— ANI (@ANI) October 31, 2022
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં રાજકોટના રામનાથપરામાં રહેતા મુસ્લિમ પરિવારનો પણ માળો વિખાયો છે. મોરબીમાં સગાઈ પ્રસંગમાં ગયા બાદ ઝૂલતો પુલ જોવા ગયેલા માતા રોશનબેન પઠાણ, તેની પુત્રી મહિયા પઠાણ,પુત્ર દાનિશનું ડુબી જતા મોત નીપજ્યુ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
મોરબી ઝૂલતા બ્રિજની ગોઝારી ઘટના ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે, જેના જવાબ મળવાના હજી બાકી છે. બ્રિજ રીનોવેશનનું કામ કરનાર કોન્ટ્રાક્ટર મુજબ 250 લોકોથી વધુ લોકો બ્રિજ પર ન જઈ શકે. બ્રિજ મચ્છુ નદીમાં ગરકાવ થયો ત્યારે આટલા બધા લોકો કઈ રીતે બ્રિજ ઉપર ગયા, જેની સંખ્યા 400 જેટલી સામે આવી છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે ટિકિટ ઉપર ક્યાંય નંબરનો ઉલ્લેખ નથી કરાયો. બ્રિજ જ્યારે બન્યો ત્યારે બ્રિજ ઉપર લાકડાની પાટ હતી તે રિનોવેશન પછી એલ્યુમિનિયમ પ્લેટ આવી ગઈ.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત 223 જલારામ જયંતિ મહોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો આયોજનમાં ઉમટવાના હતા. આ આયોજન રાજકો ના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યુ હતુ.
મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખાઇ ગયા છે. આ ગોઝારી દુર્ઘટનામાં કચ્છના રાપરમાં પણ એક પરિવાર વિખરાઇ ગયો છે. રાપરનો કુંભાર પરિવાર આ ઐતિહાસિક ઝૂલતા પુલની મુલાકાતે ગયો હતો. જ્યાં આ ગોઝારો અકસ્માત થતા પરિવારના 8 લોકોમાંથી 3 લોકોનું ડૂબી જવાથી મોત થયુ છે. આ ગોઝારા અકસ્માતથી કુંભાર પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિવાસીઓએ કેન્ડલ પ્રગટાવી મૌન પાળીને મચ્છુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના દિવ્ય આત્માને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.આ સાથે જ સગ્રામજી હાઈસ્કૂલથી માંડવી ચોક સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યું સુધીની મૌન રેલી કાઢીને મહાત્મા ગાંધીજી,મહારાજા સર ભગવતસિંહજી,સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓના ચરણોમાં ફૂલહાર મૂકીને શોક સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે આવતીકાલે તેઓ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
ACP ની અધ્યક્ષતામાં હાલ મોરબીમાં તપાસ ટીમ પહોંચી છે. જ્યાંથી મુખ્ય કેબલ તૂટ્યો એની જીણવટભરી તપાસ કરાઈ રહી છે. FSLની ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી. તો પુલના ટેક્નિકલ પાસા અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પુલ કેવી રીતે તૂટ્યો તેની તપાસ કરાઈ રહી છે.
FSL teams reached the #MorbiTragedy to prepare a detailed report on the quality & other items used in the cables #MorbiBridgeCollapse #MorbiGujarat #TV9News pic.twitter.com/mRxcgE29FB
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી દુર્ઘટનામાં અનેક જીંદગી હોમાઈ છે, જેને પગલે રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર વધારવા માંગ કરી છે.
‘Insufficient’: #Congress leaders demand to increase the compensation announced by the government #MorbiTragedy #MorbiBridgeCollapse #MorbiGujarat #TV9News pic.twitter.com/SxWRpqpzIH
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબીમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટનાએ સૌ કોઇને હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં 130થી વધુ લોકોના આ ઘટનામાં મોત થઇ ચુક્યા છે અને હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે. વહીવટી અહેવાલ મુજબ તાજેતરમાં સમારકામ બાદ આ પુલ ખુલ્લો મુકાયો હતો. વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે બ્રિજમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. જો કે પુલ બનાવનાર કંપની મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી સામે આવી છે. જેમાં ઓરેવા ગ્રુપ અને નગરપાલિકા વચ્ચે 15 વર્ષનો કરાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે.
મોરબી ગોઝારી આ દુર્ઘટનામાં અનેક પિરવારોનો માળો વીખાયો છે, ત્યારે વર્ષો જુના આ બ્રિજના રિનોવેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
The cables were not changed or repaired by the maintenance & mgmt agency, which claimed to be repaired a few days back: says the locals. #MorbiBridgeCollapse #MorbiGujarat #TV9News pic.twitter.com/H5Lgsu6QJx
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
પુલ દુર્ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મોરબી પોલીસે 8 જેટલા લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
#Morbi police held the ticket distributor and the staff for further investigation, #MorbiTragedy #MorbiBridgeCollapse #MorbiGujarat #TV9News pic.twitter.com/hVQLLboE71
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી દુર્ઘટનાને લઇને હાલ તંત્ર હાઇએલર્ટ પર છે. તમને જણાવી દઈએ કે SITની ટીમ હાલ રાજકોટ પહોંચી છે. થોડીવારમાં SITની ટીમ મોરબી જવા માટે રવાના થશે. SITની ટીમ ઘટનાસ્થળે જઇ દુર્ઘટનાની તપાસ કરશે.
મોરબી દુર્ઘટનાને પગલે રાજકારણ પણ તેજ થયુ છે. અશોક ગેહલોત સહિતના કોંગ્રસી નેતાઓ સિવીલ હોસ્પિટલ પહોંચ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આક્ષેપ કર્યો કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહો સોંપાયા છે.
મોરબી દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 134 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં 78 પુખ્યવયના વ્યક્તિ તો 56 બાળકોનો સમાવેશ થાય છે.
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે,ત્યારે મોરબીવાસીઓ લોકોને બચાવવા શક્ય તમામ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. રકતદાન કરવા લોકો ઉમટી રહ્યા છે, માનવતા હજુ મરી નથી એ આ દ્રશ્યોએ સાબિત કર્યું છે.
TV9 Exclusive: Last visuals of the #MorbiCableBridge#MorbiTragedy #MorbiCableBridge #TV9News pic.twitter.com/tAJfci2Nuy
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબી કલેકટર કચેરી ખાતે બેઠક મળી છે. CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા, દેવા માલમ, ઋષિકેશ પટેલ, મોહન કુંડારીયા સહિતના લોકો બેઠકમાં હાજર રહ્યા છે. તો રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા.
અધિકારીઓ અને પદાધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિથીનો તાગ વર્ણવ્યો હતો.
દુર્ઘટનાને પગલે હાલ રાજ્ય સરકાર એક્શનમાં મોડમાં છે. માહિતી મુજબ મૃતક વ્યક્તિઓના પરિવારનોને સાંજ સુધીમાં રાજ્ય સરકાર સહાય પહોંચાડશે. તો સાથે જ ઇજાગ્રસ્તોના પરિવારોને પણ સહાય સાંજે પહોંચાડી દેવામાં આવશે.
મોરબી દુર્ઘટનાને લઈ વડાપ્રધાન મોદી ભાવુક થયા. પીએમ નરેન્દ્ર મોદીએ પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેવડિયામાં એકતા પરેડ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કરતા મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ભલે એકતાનગરમાં છે પણ તેમનું મન મોરબીમાં છે. તેમણે આવી પીડાઓ જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એકતરફ દર્દથી ભરેલું દિલ છે અને બીજીતરફ કર્મ અને કર્તવ્યનો પથ છે. પીએમ મોદીએ કહ્યું કે દુઃખની ઘડીમાં સરકાર તમામ રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર પૂરી શક્તિથી ગઈકાલ સાંજથી રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને તમામ મદદ અપાઈ રહી છે.
આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ દર્દનાક કહાણી વર્ણવી હતી અને જણાવ્યું હતું કે, મેં જિંદગીમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી , અચાનક જ આ રીતે પુલ તૂટી પડતા જાણે મોતનું તાંડવ જોવા મળ્યુ. લોકો કઈ સમજે કે વિચારે એ પહેલા જ પુલ પરથી લોકોને ખાબકતા મેં મારી આંખે જોયા છે. પુલ તૂટ્યો ત્યારે લોકો જીવ બચાવવા માટે અડધા પુલે લટકી ગયા હતા. ચારે બાજુ બસ આક્રંદ જ જોવા મળી રહ્યો હતો.
મોરબી દુર્ઘટનનાા સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે, હાલ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળ પર છે. તેમણે સવારે સર્ચ ઓપરેશન, રાહત-બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોની સારવાર સહિતની તમામ બાબતોની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબીમાં આજે વહેલી સવારથી કલેક્ટર ઓફિસ પહોંચીને સર્ચ ઓપરેશન, રાહત-બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોની સારવાર સહિતની તમામ બાબતોની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. pic.twitter.com/yq1elhOK00
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2022
મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસે ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવેલ છે. હવે આ યાત્રા 1 નવેમ્બરથી શરૂ થશે. માહિતી મુજબ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષકઅશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.
મોરબી બ્રિજ દુર્ઘટના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહ્યા છે. હાલ આર્મી, નેવી અને એરફોર્સની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજી હોસ્પિટલમાં પોતાના સગા સબંધીઓને શોધી રહ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. દરેક કોઈ પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે, ત્યારે સુરત ફાયર વિભાગની ટિમ પણ રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.
દુર્ઘટનાને લઈને હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે કહ્યું કે, હાલ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા ઈજાગ્રસ્ત લોકોને સારવાર મળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. હાલ ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તો વધુમાં કહ્યું કે, તપાસમાં આસપાસના અધિકારીઓ પણ જોડાયા છે. રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે.બ્રિજનું સમારકરામ કરનાર કંપની સામે ગુનો દાખલ કરાયો છે, 304, 308, 114 તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. તો હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મોરબીમાં ઝૂલતા પૂલની દૂર્ઘટના સમયે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર હતા, તેઓ લોકોને બચાવવા ખુદ નદીના પાણીમાં ઉતરી રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.
મોરબી દૂર્ધટનામાં સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત નિપજ્યા છે. માહિતી મુજબ તેમની બહેનના જેઠાણીની ત્રણ દિકરી,ત્રણ જમાઇ સહિત 12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.
મોરબીમાં થયેલી દૂર્ધટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ઝૂલતા પુલ દૂર્ઘટના બન્યાને 8 કલાકથી વધુ સમય વીતી ચુક્યો છે અને હજુ આર્મીના જવાનો અને NDRF ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મૃતકોની યાદી નીચે મુજબ છે….
Morbi bridge collapsed : આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે.
મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ(Morbi Bridge Tragedy) તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.
મોરબી દુર્ઘટનામાં (Morbi tragedy) રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
Visuals from Morbi as people try to rescue from the broken bridge#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/SQCW11Wxkg
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંવેદના (President Draupadi Murmu) વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું છે કે તેમની સંવેદના અને પ્રાર્થના ગુજરાતના મોબીમાં બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્તો સાથે છે.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 25 થી વધુ બાળકોના મોત#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/OCMcU7p0Al
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News @Bhupendrapbjp @sanghaviharsh pic.twitter.com/DpqdJfRSct
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
CM Bhupendra Patel reached Civil Hospital#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/tWbNjiwrkH
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/d6uyUoBd3k
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલનો રોડ શો કરાયો રદ્દ#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/q7W4JiF9h0
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબીની દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/tCqawnYjJF
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
MORBI BRIDGE COLLAPSED : સરકાર તમામ મદદ કરવા માટે તત્પર : ગૃહ પ્રધાન હર્ષ સંઘવી#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/2RTczrOwL9
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો, તંત્રની મંજૂરી મળે તે પહેલા શરૂ કરાયું હતુ ટિકિટનું વેચાણ, 400 ટિકિટ વેચાઈ ગઈ હતી#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/Pj8WNLWlCX
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી દુર્ઘટનામાં મોતનો આંક વધીને 90 થાય તેવી શક્યતા#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/TYiDLKmjQb
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
રેસ્ક્યુ ટીમે બચાવ્યા છે કેટલાક બાળકો; સરકારી હોસ્પિટલ ખાતે છે આ બાળકો#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/oONWFmWOzc
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
— Amit Shah (@AmitShah) October 30, 2022
मोरबी में हुए हादसे से अत्यंत दुखी हूँ। इस विषय में मैंने गुजरात के गृह राज्य मंत्री हर्ष संघवी व अन्य अधिकारियों से बात की है। स्थानीय प्रशासन पूरी तत्परता से राहत कार्य में लगा है, NDRF भी शीघ्र घटनास्थल पर पहुँच रही है। प्रशासन को घायलों को तुरंत उपचार देने के निर्देश दिए हैं।
— Amit Shah (@AmitShah) October 30, 2022
The tragedy in Morbi, Gujarat has left me worried. My thoughts and prayers are with the affected people. Relief and rescue efforts will bring succour to the victims.
— President of India (@rashtrapatibhvn) October 30, 2022
મોરબીમાં પૂલ દુર્ઘટના અંગે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી છે. મોરારીબાપુએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સદ્દગતિ માટે પ્રાર્થના કરી છે.
મૃતદેહોને શોધવા પાણી કાઢવાની કામગીરી શરૂ#TV9News #Morbi #MorbiTragedy #MorbiBridge pic.twitter.com/atUOjA2rGd
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ; પુલ તૂટ્યો અને અનેકના શ્વાસ છૂટયા#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/HnUVqb9Rao
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/YtpmOSXGab
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી પુલ દુર્ઘટના માટે જિલ્લા કંટ્રોલ રૂમ નંબર જાહેર #Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/v4mYZr4a6f
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં મોરબી પહોંચશે. મૃતકોના પરિજનોને મળશે અને સાંત્વના પાઠવશે. ઈજાગ્રસ્તોના પરિવારો સાથે પણ સીએમ મુલાકાત કરશે. ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની સીએમ સમીક્ષા કરશે.
મોરબીમાં વધુ વધુ 5 એમ્બ્યુલન્સ ની મદદ લેવાઈ, જામનગર અને જૂનાગઢથી કુલ 25 જેટલી એમ્બ્યુલન્સ કામે લગાવાઈ, અત્યાર સુધી અંદાજે 100 લોકોને હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા.
મોરબી ઘટનામાં 60 થી વધુ લોકોના મોત#Morbi #MorbiTragedy #MorbiBridgeCollapse #TV9News pic.twitter.com/ABr3hlai2A
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
More than 70 people have been rescued and sent to the hospital: Harsh Sanghavi, MoS (Home)#TV9News #Morbi #MorbiTragedy pic.twitter.com/dnurh344Iu
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબી દુર્ઘટના માટે પોલીસે કરી SIT ની રચના#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/NXh3BlIeLA
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
Minister Brijesh Merja expressed grief over the Morbi tragedy#Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/xiJEYO2MOm
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
“I am leaving for Morbi by cancelling all my upcoming events today. Direct monitoring of the situation and necessary coordination will be achieved by reaching the site in person,” tweets Gujarat CM Bhupendra Patel#TV9News #Morbi #MorbiTragedy #MorbiBridge pic.twitter.com/0JTq34EYhk
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
“I am leaving for Morbi by cancelling all my upcoming events today. Direct monitoring of the situation and necessary coordination will be achieved by reaching the site in person,” tweets Gujarat CM Bhupendra Patel#TV9News #Morbi #MorbiTragedy #MorbiBridge
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મોરબીમાં ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના અંગે જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી કરાઈ છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
મોરબીમા ઝુલતા પૂલ દુર્ઘટનામાં પોલીસે SITની રચના કરી છે. મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમા રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી (કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમનો સમાવેશ થાય છે.
3 NDRF teams have already been dispatched–two from Gandhinagar & one from Baroda–to assist in the rescue operation following an accident in Gujarat’s #Morbi city in which several people fell into #Machchhu river after a suspension bridge collapsed: DG NDRF Atul Karwal#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે#Morbi #MorbiTragedy #TV9News pic.twitter.com/ZQQFZDX5WX
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે: બ્રિજેશ મેરજા, કેબિનેટ પ્રધાન#TV9News #Morbi #MorbiTragedy #MorbiBridge pic.twitter.com/GDlh7Q9xqN
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
Bridge collapsed in the Machchhu river in Gujarat’s Morbi area #Morbi #MorbiTragedy #MorbiBridge #TV9News pic.twitter.com/6UhvzSMQ3g
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
બ્રિજ તૂટતા અમદાવાદથી ફાયરની ટીમ મોરબી જવા રવાના થઈ છે. મોરબીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ઇજાગ્રસ્તો માટે વોર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો, ડોકટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા
મોરબીમાં રાજાશાહી સમયનો 150 વર્ષ જૂનો ઝુલતો પૂલ તૂટતા 60થી વધુ લોકોના મોત થયા છે. રવિવાર હોવાથી બ્રિજ પર અનેક લોકોની ભીડ હાજર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પુલ પર 400થી 500 લોકો હાજર હોવાની શક્યતા છે. જેના પગલે પૂલ તૂટતા તમામ લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અનેક લોકો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના થયા છે.
Published On - 8:39 pm, Sun, 30 October 22