Mahesana: બહુચરાજીમાં ચૌલક્રિયા માટે આવતા યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો, કોરોના મહામારીની અસર

|

Jul 24, 2021 | 9:44 AM

છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીનો લઈ ચૌલક્રિયાની વિધિ કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ તેમાંથી થતી બહુચર માતાજી ટેમ્પલની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Mahesana: ભારતવર્ષમાં 16 સંસ્કારનું ખૂબ મહત્વ રહેલું છે. જેમાંનો એક સંસ્કાર એટલે ચૌલક્રિયા. શક્તિપીઠ બહુચરાજીમાં ચૌલક્રિયાનું વિષેશ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન 30 થી 35 હજાર ચૌલક્રિયા (બાબરી)ની પવિત્ર વિધિ આ સ્થાનકમાં કરવામાં આવે છે. અને આ વિધીથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે 30થી 40 લાખની આવક પણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના ના કહેર વચ્ચે ચૌલક્રિયા વિધીમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે.

 

કહેવાય છે કે ભગવાન કૃષ્ણની ચૌલ ક્રિયા (બાબરી) આ સ્થાનક પર થઇ હોવાની પણ માન્યતા છે. નોંધનીય બાબત તો એ છે કે વર્ષ દરમ્યાન અંદાજે 30 થી 35 હજાર જેટલી ચૌલક્રિયાની વિધિ માં બહુચરના સાનિધ્યમાં થાય છે. આ વિધિ દરમિયાન મુંડન દરમિયાન નીકળતા વાળ તેમજ બાબરી વિધિ માટે આપવામાં આવતા દાનથી બહુચર માતાજી ટ્રસ્ટને વર્ષે 30 લાખથી વધુની રકમની આવક પણ થાય છે.

પરંતુ છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીનો લઈ ચૌલક્રિયાની વિધિ કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ તેમાંથી થતી બહુચર માતાજી ટેમ્પલની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Home Minister અમિત શાહ આજથી બે દિવસનાં મેઘાલય પ્રવાસે, ઉત્તર પૂર્વનાં 8 CM સાથે બેઠક

આ પણ વાંચો:  Ahmedabad: મચ્છરજન્ય રોગ અટકાવવા AMCની કાર્યવાહી, હેલ્થ મલેરિયા વિભાગ દ્વારા 7 ઝોનમાં કામગીરી

Next Video