MEHSANA : ઊંઝામાં ઉમિયા ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

|

Nov 06, 2021 | 4:28 PM

નોંધનીય છેકે ઊંઝામાં ઉમિયા માતાજી પાટીદારોનો કુળદેવી છે. ત્યારે દરેક પાટીદાર પરિવાર માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. નવા વર્ષ નિમિતે પટેલ પરિવારો માતાજીના આર્શીવાદ મેળવી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.

મહેસાણાના ઊંઝામાં ઉમિયા ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા છે. અને મોટાભાગના કડવા પાટીદારો ઉમિયા માતાના દર્શનથી જ નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. જેને પગલે ગઈકાલથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો વધી ગયો છે.

નોંધનીય છેકે ઊંઝામાં ઉમિયા માતાજી પાટીદારોનો કુળદેવી છે. ત્યારે દરેક પાટીદાર પરિવાર માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. નવા વર્ષ નિમિતે પટેલ પરિવારો માતાજીના આર્શીવાદ મેળવી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હાલ ઊંઝાના ઉમિયાધામમાં માનવ મહેરામણ છલકાયું છે. અને, અહીં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી છે. છેલ્લા બે વરસથી કોરોના મહામારીને પગલે ઊંઝા માતાજીના મંદિરમાં ભક્તો આવી શકતા ન હતા. પરંતુ, આ વરસે કોરોના મહામારીમાં રાહતને પગલે ગુજરાતના લોકો પ્રવાસે નીકળી પળ્યા છે. અને, ઠેરઠેર ગુજરાતીઓની ભીડ છલકાઇ રહી છે.

હાલ ગુજરાતના દરેક યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહયાં છે. જેમાં અંબાજી, પાવાગઢ ખાતે પણ માતાજીના દર્શાનાથે ભક્તોનો ધસારો અવિરત આવી રહ્યો છે. અને, મંદિરમાં સવારથી સાંજ સુધી માનવમહેરામણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

આ પણ વાંચો : Google Scholarship: Google ગર્લ સ્ટુડન્ટ્સને શિષ્યવૃત્તિ મેળવવાની શ્રેષ્ઠ તક આપી રહ્યું છે, જાણો કેવી રીતે કરવી અરજી

Next Video