Mahisagar : ડબલ મર્ડરનો મામલો, પોલીસે હત્યારાના મોબાઈલની શોધખોળ આરંભી

|

Aug 07, 2021 | 10:43 PM

લુણાવાડાના ગોલના પાલ્લા ગામે વયોવદ્ધ દંપતીના મર્ડર કેસના મામલે તપાસ તેજ થઈ છે. અહીં ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જશોદાબેનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી.

Mahisagar : જિલ્લાના લુણાવાડાના ગોલના પાલ્લા ગામે વયોવદ્ધ દંપતીના મર્ડર કેસના મામલે તપાસ તેજ થઈ છે. અહીં ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જશોદાબેનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ અને તેની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ હાલ મૃતકના મોબાઈલની શોધખોળ હાથ ધરી છે. પોલીસનું અનુમાન છે કે, મોબાઈલ મળ્યા બાદ હત્યારાઓ સુધી પહોંચી શકાય તેમ છે. અને એટલે જ પોલીસ મોબાઈલ શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. તો બીજી તરફ ભાજપના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી પણ ગોલનાં પાલ્લા ગામે પહોંચ્યા હતા. પોલીસ હત્યારાઓ સુધી પહોંચવા બાતમીદારોનું નેટવર્ક પણ સક્રીય કર્યું છે. પરંતુ હજુ સુધી પોલીસના હાથે એકપણ પૂરાવો લાગ્યો નથી. ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, હત્યા કોણે કરી અને હત્યારાઓ ક્યારે પોલીસ પકડમાં આવશે.

 

Next Video