બનાસકાંઠામાં દાંતીવાડા ડેમનું પાણી સીપુ વોટર પ્લાન્ટ સુધી પહોંચતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે નવું પાણી સીપુ ડેમમાં આવ્યું નથી. ગુજરાતમાં જ્યાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઇ ત્યારે બનાસકાંઠામાં ઓછો વરસાદ પડ્યો. નવું પાણી ન આવતા સીપુ આધારિત પાણી મેળવતા ગામડા તેમજ શહેરોમાં ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવતું હતું. પરંતુ હવે આ પાઈપલાઈનના કારણે 32 ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. હવે 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સીપુ સુધી નાંખવામાં આવેલી પાઇપલાઇનના કારણે પાણીની સમસ્યા દૂર થશે.
વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડાથી સીપુ સુધી પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી છે. 21 કિલોમીટર લાંબી પાઇપલાઇનની કામગીરી માત્ર એક માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. અને પાઈનલાઈનમાં પાણીની શરૂઆત પણ થઈ ગઈ છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમો મોટો નિર્ણય, અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસનો થશે સમાવેશ
Published On - 9:26 am, Wed, 27 October 21