કોરોના વોરિયર્સ તરીકે જાણીતા તબીબ સંકલ્પ મહેતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. ડોકટર સંકેત મહેતાએ પોતાનું ઓક્સીજન માસ્ક કાઢીને, જરૂરીયાતમંદ કોરોનાગ્રસ્ત દર્દીને આપીને, તેનો જીવ બચાવ્યો હતો. જો કે દર્દીનો જીવ બચાવનાર તબીબના ફેફસામાં ગંભીર ચેપ લાગ્યો છે. અને ખુદ તબીબ જ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.
જો કે સુરતની તબીબ આલમે ડોકટર સંકેત મહેતાને બચાવવા માટે અભિયાન છેડ્યું છે. જેમાં સંકેત મહેતાના ચેપગ્રસ્ત ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ચેન્નાઈમાં મોકલાશે. જો કે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા એક કરોડની જરૂરીયાત ઊભી થશે. જેની સામે અત્યાર સુધીમાં ડોકટરોએ શરૂ કરેલ લોકફાળામાં રૂપિયા 35 લાખની રકમ એકઠી થઈ છે. બાકીની રકમ માટે હજુ પ્રયાસ ચાલુ છે.
આ પણ વાંચોઃગુજરાતમાં 10 લાખ મહિલાઓને રાજ્ય સરકાર આપશે 1 લાખ સુધીની ઝીરો ટકાના દરે લોન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:14 pm, Sun, 13 September 20