Kheda : વધુ એક વખત નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા છે. ડાકોરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મધ્ય ગુજરાતનો જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેતા કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિત મોટાભાગના નેતાઓ માસ્ક વગર નજરે પડ્યા હતા. ત્યારે શું આમ જનતા માટે જ કોરોના નિયમો છે કે કેમ ? તેવા સવાલો ઊભા થયા છે. જો આમને આમ રહ્યું તો ત્રીજી લહેરની સંભાવનાઓ વધી જાય છે. અને, નિષ્ણાંતોનું કહેવું છેકે ત્રીજી લહેર અંત્યત ગંભીર હોય શકે છે. જેથી આમ જનતાએ ખરેખર ચેતીને રહેવાની જરૂર છે.