Breaking News : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

|

May 29, 2023 | 12:41 PM

ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.

Breaking News : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત
Kheda Rain
Image Credit source: smibolic pic

Follow us on

ખેડાના ( Kheda )  વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.

આ પણ વાંચો : Kheda : વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી સહજાનંદી બાળ શિબિર સંપન્ન, 2500 જેટલા બાળકોએ લીધો ભાગ

આ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્તા મકાનોનાં છાપરાં, વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. વારસંગ, રઢુ, બરોડા, ત્રાજ ગામની સીમમાં વ્યાપક નુક્સાન થયુ છે. ખેડા તાલુકામાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા

તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે. ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.

ડાયાબિટીસ કંટ્રોલ માટે ઊંટના દૂધના ઉપયોગની શરૂઆત બાદ ઊંટની માંગ ખુબ વધી હતી તેવા સમયે ઊંટના મોતની ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા હતો. સૂકાભંઠ આ વિસ્તારમાં કેમિકલયુક્ત વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો હતો જયારે મામલે સંલગ્ન સરકારી એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ ઊંટની માંગમાં વધારો

સ્થાનિક અગ્રણી મહમત જત અનુસાર ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા અને આલીયાબેટ મળી ઊંટની સંખ્યા 1000 આસપાસ છે. ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ દૂધ માટે ઊંટની માંગ વધી છે. પશુપાલકો માટે વર્ષોથી આવક માટે નિરુપયોગી રહેલા ઊંટ હવે કામનીનું સાધન બની રહ્યા છે. તે સમય ઊંટના મોતની ઘટનાથી પશુપાલકોમાં દુઃખ સાથે રોશની લાગણી જોવા મળી રહી છે. હવે એક ઊંટ 40 હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં ઊંટગાડી ખેચવા માટે પણ ઊંટની ખરીદી કરવા રાજસ્થાની વેપારીઓ વાગરા અને આલીયાબેટ આવતા હોય છે.

કેમિકલ યુક્ત ઝેરી પાણી ક્યાંથી આવ્યું

સ્થાનિકો અનુસાર આ સૂકાભંઠ વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે. અહીં એફ્લુઅન્ટની પાઈપલાઈન અથવા ઝેરી રસાયણિક કચરાનો નિકાલ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.સ્થાનિકોએ આ મામલે તંત્રને તપાસ હાથ ધરી કસુરવારો સમયે પગલાં ભરવા અને પીડિતોને વળતર અપાવવા માંગ કરી છે.

ખેડા  જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 12:22 pm, Mon, 29 May 23

Next Article