પર્યટકો માટે ખુશ ખબર: AMC નો મોટો નિર્ણય, દિવાળી વેકેશનમાં આ તારીખે પણ ખુલ્લું રહેશે કાંકરિયા

|

Nov 06, 2021 | 8:30 PM

દિવાળીના વેકેશનમાં મોટા પ્રમાણમાં લોકો ફરવા માટે કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીનું હાલ વેકેશન ચાલી રહ્યું છે. ઘણા લોકો ઘર પરિવાર સાથે દિવાળી ઘરે જ ઉજવી રહ્યા છે. તો ઘણા પરિવાર આ વેકેશનમાં નાની ટૂર કરવા જતા હોય છે. તો શાળામાં પણ વેકેશન ચાલી રહ્યું છે. પર્યટકો અને વેકેશન માણતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. દિવાળીમાં ફરવા નીકળેલા લોકોને ધ્યાનમાં રાખીને AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વ નિર્ણય લીધો છે કે સોમવારે કાંકરિયા ખુલ્લુ રહેશે.

જાહેર છે કે સામાન્ય દિવસોમાં કાંકરિયા બંધ હોય છે. ત્યારે દિવાળી અને શાળાઓમાં વેકેશન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્યણ મુજબ આ સોમવાર એટલે કે 8 નવેમ્બર અને આવતા સોમવાર એટલે કે 15 નવેમ્બરના રોજ સોમવારના દિવસે કાંકરિયા ખુલ્લું રાખવામાં આવશે. જેનો સૌ લાભ લઇ શકશે. આ દિવસોમાં પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, નગીના વાડી સહિતના પાર્ક ખુલ્લા રહેશે, પ્રયાટકો તેની મુલાકાત લઇ શકશે.

 

આ પણ વાંચો: ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

આ પણ વાંચો: Aryan Khan Updates: અનિલ દેશમુખના પુત્રનો મિત્ર સુનિલ પાટીલ છે આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ, ભાજપ નેતાનો મોટો ખુલાસો

Next Video