
એશિયાટિક સિંહ કે જેને ભારતીય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પેંથેરા લીઓની પેટાજાતિના છે. જે 20મી સદીની શરૂઆતથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. એક સમયે એશિયાટિક સિંહ એશિયા અને પૂર્વ યુરોપના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય પ્રદેશોમાં રહેતા હતા. એશિયાટિક સિંહો અગાઉ પર્શિયા, અરેબિયા, પેલેસ્ટાઈન, મેસોપોટેમિયા અને બલુચિસ્તાનમાં જોવા મળતા હતા. એશિયાટિક સિંહો ગુજરાત કેવી રીતે આવ્યા ? ભારતમાં એશિયાટિક સિંહો અગાઉ બંગાળ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં શિકારના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો. 19મી સદીની શરૂઆતમાં આ સિંહો ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હરિયાણા, ખાનદેશ (હાલના મહારાષ્ટ્રમાં), રાજસ્થાન, સિંધ અને છેક પૂર્વમાં પલામુ અને રીવા, મધ્ય પ્રદેશ સુધી જોવા મળ્યા હતા. બ્રિટિશરો અને ભારતીય જાગીર શાસકો દ્વારા શિકારને કારણે દેશમાં સિંહોની સંખ્યામાં સતત ઘટાડો થયો. 1814 સુધીમાં ઝારખંડના પલામુમાં, 1830ના દાયકામાં બરોડા, હરિયાણા અને અમદાવાદમાં અને 1840ના દાયકામાં કોટ દીજી અને દમોહમાં એશિયાટિક સિંહો લુપ્ત થઈ ગયા હતા. 1857ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન...