JUNAGADH : માંગરોળના હુશેનાબાદ ગામમાં હાઇવેનું લેવલ ઉંચું કરાતા ખેડૂતોમાં રોષ, ધારાસભ્યની NHAIને રજૂઆત

|

Jul 12, 2021 | 5:12 PM

માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે.

JUNAGADH : જિલ્લાના માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે. ગામને અડીને દ્વારકા-ગળુ નેશનલ હાઈવે આવેલો છે. ખેડૂતોનું કહેવું છે કે હાઈવેનું લેવલ ખૂબ જ ઊંચુ હોવાના કારણે વરસાદનું પાણી સીધુ જ તેમના ખેતરોમાં ભરાઈ જાય છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને પાકમાં નુક્સાન થવાની સંભાવના છે. એટલું જ નહીં હાઈવે પરના રહેણાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય બાબુ વાજાને રજૂઆત કરી હતી. જેને પગલે બાબુ વાજાએ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

 

Next Video