Junagadh : પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવિયાનું નિધન, કેશોદમાં અંતિમવિધીમાં નેતાઓ ઉમટયાં

|

Aug 16, 2021 | 11:11 AM

પોરબંદરના 3 ટર્મ સાંસદ રહી ચુકેલા ગોરધનભાઇ જાવિયાનું નિધન થયું છે. 82 વર્ષની વયે 15મી ઓગસ્ટના સ્વાતંત્રય પર્વના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

Junagadh : પોરબંદરના 3 ટર્મ ભાજપના સાંસદ રહી ચુકેલા ગોરધનભાઇ જાવિયાનું નિધન થયું છે. 82 વર્ષની વયે 15મી ઓગસ્ટના સ્વાતંત્રય પર્વના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશોદ શહેરમાં તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમના પરીવાર, ભાજપ પરીવાર, જનસંધના કાર્યકરો તેમજ શહેરીજનોએ જાવિયાને પુષ્પાંજલી આપી હતી. તેમના નશ્વરદેહના અંતિમવીધી સમયે રાષ્ટ્રધ્વજ ઓઢાળી, તેમના સેવાકીય કાર્યોને યાદ કરી સન્માન આપવામાં આવ્યું છે. તેમની સ્મશાનયાત્રામાં ધારાસભ્ય, માજી ધારાસભ્ય તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Video