જાણો જાપાનીઝ કંપનીઓએ 100થી વધુ ઓક્સીમીટર ગુજરાતના માંડલમાં કેમ આપ્યાં ?

ગુજરાત અને જાપાનનો ખાસ વ્યાપારીક સંબંધ છે. જાપાનની ઘણી કોર્પોરેટ કંપનીઓ વર્ષ 2013થી ગુજરાતમાં અલગ અલગ પ્લાન્ટ ધરાવે છે. ખાસ તો માંડલ જીઆઈડીસી વિસ્તારમાં અનેક જાપાનીઝ કંપનીઓએ તેમના પ્લાન્ટ વિકસાવ્યા છે.. ત્યારે આજે 9 જેટલી જાપાનીઝ કંપનીઓ દ્વારા માંડલ જીઆઈડીસીમાં 100 કરતા વધારે ઓક્સીમીટર્સનું વિતરણ કરાયુ હતું. આ કાર્યક્રમ જાપાની કંપનીઓના સંગઠન જેટ્રોની આગેવાનીમાં કરાયો […]

જાણો જાપાનીઝ કંપનીઓએ 100થી વધુ ઓક્સીમીટર ગુજરાતના માંડલમાં કેમ આપ્યાં ?
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:46 AM

ગુજરાત અને જાપાનનો ખાસ વ્યાપારીક સંબંધ છે. જાપાનની ઘણી કોર્પોરેટ કંપનીઓ વર્ષ 2013થી ગુજરાતમાં અલગ અલગ પ્લાન્ટ ધરાવે છે. ખાસ તો માંડલ જીઆઈડીસી વિસ્તારમાં અનેક જાપાનીઝ કંપનીઓએ તેમના પ્લાન્ટ વિકસાવ્યા છે.. ત્યારે આજે 9 જેટલી જાપાનીઝ કંપનીઓ દ્વારા માંડલ જીઆઈડીસીમાં 100 કરતા વધારે ઓક્સીમીટર્સનું વિતરણ કરાયુ હતું. આ કાર્યક્રમ જાપાની કંપનીઓના સંગઠન જેટ્રોની આગેવાનીમાં કરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી સ્કીમ હેઠળ 9 કંપનીઓએ યોગદાન આપ્યું હતું અને માંડલ તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોની હેલ્થ જળવાઈ રહે તેમજ કોવિડ-19માં આંતરીયાળ વિસ્તારોમાં લોકોને ઝડપથી હેલ્થ ચેકઅપ થઈ શકે તે માટે આ ઓક્સીમીટરનું વિતરણ કરાયુ હતું. આ ઓક્સીમીટર ત્યાંના આશાવર્કરોને આપવામાં આવ્યાં છે. જેથી કરીને કોવિડ-19ના ડોર ટુ ડોર સર્વેની કામગીરી સરળતાથી અને ઝડપી થઈ શકે. આ કાર્યક્રમમાં જેટ્રોના આગેવાનો, જાપાનીઝ કંપનીના ટોચના અધિકારીઓ સહિતના લોકો હાજર રહ્યાં હતાં.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:00 am, Fri, 7 August 20