જામનગરમાં દિવાળી તહેવાર સમયે તૈયાર થતી રંગોળી માટેના ખાસ રંગો તૈયાર કરવામાં આવે છે. જે ગુજરાતભરમાં તેમજ મહારાષ્ટ્ર સહિતના રાજ્યો જાય છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણામાં રંગોળી શોભે છે. જે રંગોળીમાં ખાસ રંગનો ઉપયોગ થાય છે. ચિરોડી રંગોની દિવાળીના તૈયારમાં વધુ વેચાણ થાય છે. જોકે ગત વરસે કોરોનાના કારણે રંગોળીના વેપારને અસર થઈ છે.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ અને ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે. રંગોળી માટે ખાસ 40 જેટલા શેડમાં રંગ તૈયાર કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં રંગોળી માટેના ખાસ ચિરોડી રંગો જામનગરથી રાજ્યભરમાં વેચાય છે. સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં તેની માંગ રહે છે. આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.
દિવાળીના લાંબા પર્વ પર દરેક ઘરની બહાર રંગબેરંગી રંગોળી તૈયાર કરવામાં આવે છે. જે માટે મહિલાઓ રંગોળી મુજબના વિવિધ રંગો પસંદ કરીને લે છે. રંગોળીમાં પુરાતા આ ચિરોડીમાંથી બનાવવામાં આવે છે. જેમાં જામનગરના રંગો રંગોળીમાં કલરની સાથે શોભામાં વધારો કરે છે. દિવાળીના તહેવારમાં અગિયારથી લાભપાંચમ સુધી ઘરની બહાર રંગોળી બને છે. અને રંગોળીમાં વિવિધ રંગો ઘરના આંગણની શોભા વધારે છે.
નોંધનીય છેકે દિવાળીના તહેવારોમાં લોકો ઘરઆંગણે રંગોળી દોરીને તહેવારોની ઉજવણી કરે છે. અને, ઘર આંગણે રંગોળી દોરવાથી ઘરમાં સુખશાંતિ, ધન અને માતા લક્ષ્મીનો પ્રવેશ થતો હોવાની લોકોમાં માન્યતા છે. જેથી દિવાળી નિમિતે ગૃહિણી અચૂક રંગોળીની ખરીદી કરે છે. ત્યારે મોંઘવારીનો માર રંગોળીના રંગો પર પણ પડી રહ્યો છે. જેથી રંગોની ખરીદી વખતે ગૃહિણીઓના પર્સ ખાલી થશે.
Published On - 3:45 pm, Thu, 21 October 21