Save Soil Movement: સદગુરૂ જગ્ગી વાસુદેવજીનું જામનગર ખાતે કરાયું સ્વાગત, વિશાળ બાઇક રેલીનું પણ થયું આયોજન

|

May 29, 2022 | 9:56 PM

Save soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા.

Save Soil Movement: સદગુરૂ જગ્ગી વાસુદેવજીનું જામનગર ખાતે કરાયું સ્વાગત, વિશાળ બાઇક રેલીનું પણ થયું આયોજન
Welcome of Sadguru Jaggi Vasudevji at Jamnagar

Follow us on

Save soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું. આ પ્રસંગે પ્રતાપવિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે આ પ્રસંગે save soil એટલે કે, ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે, તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના 4 અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે, આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ.

આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઉભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. અને આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો અત્યારે આપણે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટયું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે.ત્યારે આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સદગુરૂએ પહેલા પણ પર્યાવરણને લઈને સામાજીક જાગૃતિ લાવવાના કાર્યક્રમો કર્યા છે

કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે. 2017માં સદગુરૂ જગ્ગી વાસુદેવની ‘રેલી ફોર રીવર્સ’ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયેલ હતા. આ ઝુંબેશ અંતગર્ત 1 લાખ 25 હજાર ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનું ભવ્ય સંકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો.

જામનગરના જામ સાહેબનો અનોખો પ્રકૃતિપ્રેમ

નવાનગરના રાજવી નેકનામદાર જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ. સર પીટરસ્કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસાહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો જેવો ડુંગર જ્યારે જામસાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેના પ્રેમ અને પ્રાકૃતિક જતન વિશે જામનગરની જનતા અચુક જાણે છે. જામસાહેબ અને સદગુરૂની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે.

Published On - 9:56 pm, Sun, 29 May 22

Next Article