jamnagar : રખડતા ઢોરની સમસ્યાનો કયારે ઉકેલ આવશે ? એક યુવતિ પર રખડતા ઢોરે હુમલો કર્યો

|

Aug 10, 2021 | 9:01 PM

શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો.

jamnagar : શહેરમાં રખડતા ઢોરના ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગાયે યુવતિને વારંવાર ઢીક મારીને ઈજા પહોચાડી છે. જે યુવતિની પુત્રીને ધ્યાને આવતા તેને બચાવવા જતા યુવતિની પુત્રીને પણ ગાયે ઢીક મારી હતી. બે મીનીટ સુધી સતત એક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા, યુવતિને બચાવવા લોકોએ અનેક પ્રયાસ કર્યા હતા. રાજકોટની કાશમીરાબેન પ્રહલાદ ગોહીલ નામની યુવતિને ગાય હુમલો કરતો ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ યુવતિને ગંભીર ઈજા થતા જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

 

Next Video