Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી

|

Jul 06, 2021 | 5:05 PM

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી
ફાઇલ

Follow us on

Jamnagar:   રાજયભરમાં સામાન્ય રીતે દર વર્ષે જુન માસમાં વરસાદનુ આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદના કોઈ એંધાણ દેખાયા નથી. જુનમાં છુટોછવાયો વાવણીલાયક વરસાદ થયો. પરંતુ હાલ મોટાના ડેમમાં નવા નીરની આવક થઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ હજું વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

જોકે સારી વાત એ છેકે  ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે મોટાભાગના ડમ ઓવરફુલો થયો હતો. જામનગર જીલ્લાના ડેમમાં હજુ પણ 25 થી 30 ટકા પાણીથી ભરાયેલા છે. જેના કારણ જો વરસાદ બે માસ સુધી ના આવે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી.

Water enough to last for two months in the dam.

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે. આ ઉપરાંત નર્મદાની લાઈનથી નિયમિત પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Water enough to last for two months in the dam.

હાલ જીલ્લાના 417 ગામ પૈકી 416 ગામમાં પાણી પાઈપલાઈન મારફત વિતરણ કરવામાં આવે છે. માત્ર જીલ્લા એક જ ગામ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ 8 જેટલા પરા વિસ્તારમાં ટેન્કરો દ્વારા દૈનિક 31 ફેરા પાણી આપવામાં આવે છે.

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ,આજી-4,સસોઈ ડેમ પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ અન્ય પાણીનો જથ્થો નર્મદાનુ પાણી આપવમાં આવે છે. જો વરસાદ ઓગષ્ટ સુધી જામનગરમાં ના આવે તો પણ જીલ્લાભરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહેશે તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ તો વરસાદને લઇને સમગ્ર રાજ્યમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે હાલ તો સૌ-કોઇ મેઘરાજાના જલ્દી પધરામણા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Next Article