Breaking news: મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં શકાંસ્પદ પદાર્થ હોવાની આશંકાને પગલે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, જોકે કોઈ સંદિગ્ધ પદાર્થ ન મળ્યો

|

Jan 10, 2023 | 1:12 AM

ઇમજન્સીના કારણે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking news:  મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં શકાંસ્પદ પદાર્થ હોવાની આશંકાને પગલે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, જોકે કોઈ સંદિગ્ધ પદાર્થ ન મળ્યો
Flight emergency landing in Jamnagar

Follow us on

ઇમજન્સીના કારણે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.   જોકે  પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.  અઝુર એર ફ્લાઇટ નંબર ZF-2401નું  ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને   ઇમરજન્સીને પગલે  જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઝૂરે એરલાઈન્સની મોસ્કોથી ગોવા આવતી ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિલ્લીથી બોલાવવામાં આવી NSG ની ટીમ

આ ઘટનાને પગલે દિલ્લીથી NSGની ટીમ બોલવવામાં આવી હતી. હાલમાં તમામ મુસાફરો સલામત છે  વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેમના સામાનની  ચકાસણી પણ કરવામાં આવી છે.  હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે અને NSGના ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ  ઉડવાની મંજરૂ આપવામાં આવશે.

 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ


 

જામનગર એરપોર્ટ ઉપર  108 એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે  જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાનો  કાફલો  પણ એરપોર્ટ પહોંચી ગયો  હતો અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે.  વિમાનમાં કુલ 236 મુસાફરો છે

 

 

Published On - 10:26 pm, Mon, 9 January 23

Next Article