IFFCOએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

|

Oct 16, 2021 | 4:29 PM

ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ છે. DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો ત્રાહીમામ છે.

દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા ઈફ્કોએ ખાતરના ભાવમાં કર્યા વધારો. ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો નપકનો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો. જે વધી 1450 રૂપિયા થયો, જયેશ દેલાડે સહિત ખેડૂતોએ ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી.

ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ છે. DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો ત્રાહીમામ છે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિણર્ય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.

છેલ્લા બે વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે. જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી. તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં જ દર વર્ષે  ઇફકો કંપનીના ખાતરની ખપત રહે છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેને પગલે ખેડૂતોની સ્થિતિ બગડી છે.

 

આ પણ વાંચો : સૌ.યુનિ.માં અધ્યાપકોની ભરતીનો વિવાદ, ભરતીમાં ભલામણો માટે વોટ્સઅપ ગ્રૂપ બનતા NSUIનો વિરોધ

Next Video