રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, હવે ક્રાઇમ બ્રાન્ચમાં જોડાવું હશે તો જોઇશે આ લાયકાત

|

Apr 28, 2022 | 1:00 PM

રાજકોટ (Rajkot) ક્રાઇમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓના માનિતાઓને સ્થાન આપવામાં આવતું હતું. જેના કારણે ઘણી વખત સારી કામગીરી કરનારને સ્થાન મળતું ન હતું.

રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, હવે ક્રાઇમ બ્રાન્ચમાં જોડાવું હશે તો જોઇશે આ લાયકાત
If you want to join Rajkot Police, you need this qualification (ફાઇલ ફોટો)

Follow us on

Rajkot: પોલીસ કમિશનર તોડકાંડ અને દારૂકાંડથી ખરડાયેલી રાજકોટ પોલીસની (POLICE) છબી સુધારવા માટે હવે પોલીસ પ્રયત્ન કરી રહી છે. રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજ ગોહેલ દ્વારા અનોખો ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસકર્મીઓની ભરતી (Recruitment)માટે અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા હવે ત્રણ વર્ષની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે. જેના આધારે પોસ્ટીંગ આપવામાં આવશે.

માનીતા નહિ કાબેલિતથી મળશે પોસ્ટીંગ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓના માનિતાઓને સ્થાન આપવામાં આવતું હતું. જેના કારણે ઘણી વખત સારી કામગીરી કરનારને સ્થાન મળતું ન હતું. થોડા દિવસ પહેલા તોડકાંડ અને દારૂકાંડને કારણે રાજકોટ પોલીસની છબી ખરડાઇ, ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ભરતી ઓપન ફોર ઓલ રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં સામેલ થવા ઇચ્છતા પોલીસકર્મીઓએ પોતાના ત્રણ વર્ષની કામગીરી આપતું પત્રક દર્શાવવું પડશે. આ કામગીરી અંગે જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની સહિ કરાવીને આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને સોંપવાનો રહેશે. જેના આધારે સમીક્ષા કરીને અધિકારી નિમણૂંક આપશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

વિવાદાસ્પદ પોલીસકર્મીને નહિ મળે સ્થાન

જોકે, આ સિલેકશનમાં વિવાદાસ્પદ પોલીસકર્મીને સ્થાન આપવામાં નહિ આવે. કોઇ પોલીસકર્મીની સારી કામગીરી હશે. પરંતુ તેઓ કોઇ વિવાદમાં આવી ગયા હશે. તો આવા પોલીસકર્મીઓને સ્થાન આપવામાં નહિ આવે. આવા પોલીસકર્મીઓને મહત્વના પોસ્ટીંગથી દૂર રાખવામાં આવશે.

આ પણ વાંચો :Surat : સરકાર તરફથી સસ્તા દરે સોનું મળતું નથી, સુરતથી અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં 50 કરોડના દાગીનાના ઓર્ડર અટક્યા

આ પણ વાંચો :પાણી સાચવીને વાપરવું જરૂરીઃ ગુજરાતના ડેમમાં 50 ટકા જ પાણી ઉપલબ્ધ, રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી

Next Article