આસમાને પહોચેલા શાકભાજીના ભાવે ગૃહિણીનું બજેટ ખોરવ્યુ, વરસાદને કારણે એક મહિનામાં શાકભાજીના ભાવ બમણા થયા

|

Sep 14, 2020 | 3:57 PM

  ભારે વરસાદ અને પૂરના કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની એક મનાય છે. ખાસ કરીને નર્મદા કાંઠાના ગામોમાં લીલા શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે. તાજેતરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યાર બાદ નર્મદામાં આવેલા પૂરના […]

આસમાને પહોચેલા શાકભાજીના ભાવે ગૃહિણીનું બજેટ ખોરવ્યુ, વરસાદને કારણે એક મહિનામાં શાકભાજીના ભાવ બમણા થયા

Follow us on

 

ભારે વરસાદ અને પૂરના કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની એક મનાય છે. ખાસ કરીને નર્મદા કાંઠાના ગામોમાં લીલા શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે. તાજેતરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યાર બાદ નર્મદામાં આવેલા પૂરના કારણે ખેતીને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. લાંબા સમય સુધી ખેતરોમાંથી પાણી ન ઓસરતાં પાક નાશ પામ્યો છે. શાકભાજીની ઉપજ ન મળવાથી ભાવ ઉંચા ચઢ્યા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ખેતીને નુકશાનથી બજારમાં આવતો શાકભાજીનો પુરવઠો અચાનક ઠપ્પ થઇ ગયો છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીના બજારમાં આવતો ૬૦ ટકા હિસ્સો સ્થાનિક ખેડૂતો પૂરો પાડે છે જયારે ૪૦ ટકા સપ્લાય બહારના જિલ્લાઓમાંથી આવે છે. અચાનક સ્થાનિક ખેડૂતોનો પુરવઠો અટકી જતા શાકભાજીના દામ આસમાને ચઢ્યા છે. મોટાભાગના શાકભાજીના દામ એક મહિનામાં બમણા થયા છે જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


એક કિલો શાકભાજીના હાલના અને એક મહિના અગાઉના ભાવ ઉપર એક નજર…

શાકભાજી હાલનો ભાવ એક મહિના પહેલાનો ભાવ
 ટામેટા ૧૦૦ ૩૦
ગુવાર ૧૨૦ ૬૦
વટાણા ૧૬૦ ૧૦૦
તુવેર  ૧૬૦ ૧૦૦
ફ્લાવર ૧૨૦  ૬૦

 

Next Article