
ચોમાસાની શરૂઆત થઇ ત્યારથી કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમાં આવેલા વરસાદથી ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળ્યું. કાલાવડ તાલુકાના અનેક ગામોમાં ઊભા પાક ધોવાઇ ગયા છે. ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતનો મગફળી, કપાસ, ડુંગળીના પાકનું ધોવાણ થયું. મગફળીના પાકમાં ખેડૂતને વિઘા દીઠ આઠથી દસ હજારનો ખર્ચ થાય છે. વધુ વરસાદને લીધે કપાસનો પાક ફેલ થયો. કપાસના પાકમાં 1 વિઘાએ દસથી પંદર હજારનો ખર્ચ થાય છે, સરકાર હેકટર દીઠ 25000 આપે, એટલે વિધા દીઠ 4000 રૂપિયા જેવું મળે તેમા ખર્ચાના પણ રૂપિયા ન નિકળતા હોવાનું ખેડૂતોનું માનવું છે. ખેડૂતોની માગ છે કે, સરકારે પોતાની ગાઇડ લાઇનમાં ફેરફાર કરી વળતર આપવું જોઇએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:54 pm, Thu, 3 September 20