AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ST કર્મચારીઓનું સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ, હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલ

ST કર્મચારીઓનું સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ, હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 11:07 AM
Share

આજ મધરાતથી એસટી કર્મચારીઓ પડતર માગોને લઈ હડતાળ પર ઉતરવાના છે. ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. સરકારને પણ ચેતવણી આપી દીધી છે.

એસટી કર્મચારીઓનો માસ સી.એલ પર જવાના મુદ્દે અડિગ છે. તેમને જણાવ્યું છે કે તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તેઓ હડતાલ પર ઉતરશે. એટલે કે તેમના મુદ્દાઓ માનવામાં નહીં આવે તો આજ રાતથી 8 હજાર બસના પૈડા થંભી જશે. આ બાબતે કર્મચારીઓએ સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ આપ્યું છે. સંકલન સમિતિએ કહ્યું કે સરકાર હકારાત્મક વલણ નહીં દાખવે તો કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરશે. ત્યારે એમ પણ જાણવા મળ્યું કે ગઈકાલે સરકાર સાથેની વાતચીત આર્થિક લાભને લઈને પડી ભાંગી.

તમને જણાવી દઈએ કે એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને માગ પર ઉતર્યા છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. તો આ કર્મચારીઓને માત્ર 12 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. સાથે કોરોનાકાળમાં કોરોનાના કારણે મુર્ત્યું પામેલા કર્મચારીને 25 લાખની સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂરો થાય નથી. આ સાથે ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.

Published on: Oct 20, 2021 10:55 AM
g clip-path="url(#clip0_868_265)">