17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જેને લઈને સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સરકારે SITની રચના કરી હતી. પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે આ અંગે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. SITએ તૈયાર કરેલો આ રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સુપ્રત કરવામાં આવશે. રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન પર છોડવામાં આવ્યો છે. આ અંગે આજે મોટી જાહેરાત થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:20 am, Mon, 16 December 19