રંગમાં તો નહીં પડેને ભંગ? અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, પહેલા નોરતે ખેલૈયાઓ ચિંતામાં

|

Oct 07, 2021 | 6:10 PM

Ahmedabad: આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. દિવસભરના ઉકળાટ અને બાફ બાદ સાંજે વરસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. દિવસભરની ગરમી બાદ સમી સાંજે પડેલ ઝાપટાં થી ઠંડક ના કારણે લોકો ને રાહત થઈ છે. અમદાવાદના નિર્ણયનગર, શાસ્ત્રીનગર, મેમનગર, ભુયંગદેવ, પાલડી, LD ના આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડતા ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી વગર વરસાદી ઝાપટી જોવા મળતા સૌ ચોંકી ગયા હતા. સાથે જ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

તમને જણાવી દઈએ કે ભુયંગદેવ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પવન અને વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં છે. પહેલા નોરતે વરસાદના વધામણાં થવાથી નવરાત્રી આયોજકો માટે હાલાકી સર્જાઈ છે. શેરી અને ફ્લેટ જ્યારે શણગારી દેવામાં આવ્યા છે, ત્યારે વરસાદી ઝાપટાએ રંગ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ મેમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે થોડા વરસાદમાં પાણી ભરાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. લોકોએ amc ની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વરસાદી પાણી નિકાલ કરવાની પણ રજુઆત કરી છે.

 

આ પણ વાંચો: દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ

આ પણ વાંચો: પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

Next Video