
આજે 23 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
મુંબઈની પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસે જણાવ્યું હતું કે યમનથી ભારતીય ખલાસીઓ શહેરમાં પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના અથાક પ્રયાસોને કારણે યમનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓને પરત લાવવામાં આવ્યા હતા. જો કે, તરત જ તે જાણી શકાયું નથી કે ખલાસીઓ કેટલા સમયથી યમનમાં ફસાયેલા હતા.
ગીર જંગલમાં ભારે વરસાદના પગલે ગીર જામવાળા નજીક આવેલ શિંગોડા ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલાયા.
વડોદરાના વાઘોડીયામાં ટાયર બનાવતી મલ્ટી નેશનલ કંપની અપોલો સામે વિરોધ થયો છે. 1 જાન્યુઆરી 23થી પગાર સહિતના ભથ્થામાં વધારો ન કરતા કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે વિવાદ. 15 સપ્ટેમ્બરથી 1 હજાર 241 કર્મીઓ કામકાજથી અળગા રહ્યા હતા. પરંતુ ગત રાત્રીથી શરતી ધોરણે કર્મચારીઓ કામે પરત ફર્યા. પગારના વિરોધમાં કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે લડત કરી હતી.
પીએમ મોદીએ બનારસમાં કહ્યું કે સંસદમાં નારી શક્તિ એક્ટ જેવો કાયદો પસાર કર્યા બાદ હું તમારા બધાના આશીર્વાદ લેવા કાશી આવ્યો છું. સાથોસાથ બનારસમાં પણ થોડા સમયમાં દુર્ગા પૂજા ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે નારી શક્તિ કાયદા હેઠળ નવરાત્રિના તહેવારમાં વધુ વધારો કરવામાં આવ્યો છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની હાજરી વધશે. આજે કાશીની પવિત્ર ભૂમિ પરથી હું તમામ દેશોની માતાઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું.
કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ સ્ટેડિયમ યુવાનો માટે વરદાન સાબિત થશે. તેમણે કહ્યું કે આજે વિશ્વ ક્રિકેટ દ્વારા ભારત સાથે જોડાઈ રહ્યું છે. આ સ્ટેડિયમની ડિઝાઇન મહાદેવને સમર્પિત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે, જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ,ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા-ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ, રાઉરકેલા-વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ,
આ 9 ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં 11 રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે. દેશની અડધોઅડધ વસ્તીને એટલે કે મહિલાઓને અધિકારો આપ્યા બાદ પીએમની તેમના સંસદીય ક્ષેત્રની આ પ્રથમ મુલાકાત છે. તેમણે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમનુ શિલારોપણ કર્યું હતું. પીએમ મોદી હવે અટલ નિવાસી શાળાનો પણ શિલાન્યાસ કરશે. ક્રિકેટ સ્ટેડિયમનુ શિલારોપણ પ્રસંગે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો વારાણસીમાં પહોંચ્યા છે.
CJI જસ્ટિસ ચંદ્રચુડે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, અલગ-અલગ વિચારધારા હોવા છતાં તમામ પક્ષોએ જે રીતે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કર્યું છે તેના પર આપણને ગર્વ થવો જોઈએ.
NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તેની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા પન્નુ ગુપ્ત રીતે ભારત વિરોધી ચળવળને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.
On the orders of the NIA court, a property confiscation notice has been pasted outside a house owned by banned Sikhs for Justice (SFJ) founder and designated terrorist Gurpatwant Singh Pannu, in Chandigarh. pic.twitter.com/X5ghFCVRFS
— ANI (@ANI) September 23, 2023
ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદાના પૂર ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.
તાજેતરમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.
મથુરાના બરસાનામાં રાધા જન્મોત્સવ દરમિયાન મોટો અકસ્માત થયો છે. રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન માટે આવેલા બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. અકસ્માત બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અભિષેક દરમિયાન બે ભક્તોના મોત થયા હતા. શનિવારે સવારે લાડલી જી મંદિરમાં અભિષેકના દર્શન દરમિયાન આ અકસ્માત થયો હતો. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુનો પણ સમાવેશ થાય છે.
મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જેઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રના નાગપુરના કલેક્ટરે પૂર અને વરસાદને કારણે જિલ્લા અને શહેરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. અંબાઝરી તળાવ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફરી એકવાર ફેરફાર થયો છે. પીએમ મોદી, 27ને બદલે હવે 26મી સપ્ટેમ્બરના રોજ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. 26મીએ સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે મહિલા અનામત બિલ અંગે નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમ યોજાશે. જેમાં પીએમ મોદીનું અભિવાદન કરવા સાથે ભવ્ય સ્વાગત કરાશે.
યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ, ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે કાશ્મીરનો રાગ આલાપવા બદલ પાકિસ્તાનના પીએમની ટીકા કરી અને તેમને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનો વિસ્તાર ખાલી કરવા અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું.
કેનેડામાં ભારતીય નાગરિકો માટે કોન્સ્યુલર સેવા ચાલુ છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી છે. એમ્બેસીએ જણાવ્યું હતું કે, કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ ઈસ્યું કરવા, પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને વેરિફિકેશન વગેરે જેવી કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે.
Published On - 6:29 am, Sat, 23 September 23