
આજે 21 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આ 23મી નવેમ્બરથી જૂનાગઢની પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થવા જઇ રહી છે. દેવ દિવાળીથી એટલે કે 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ગરવા ગિરનારના ગાઢ જંગલમાં આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે. જેના આયોજનમાં વન વિભાગ, વહિવટી તંત્ર અને સાધુ-સંતો અને મહંતો જોડાય છે. આ વખતની લીલી પરિક્રમા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અટેર વિધાનસભા મતવિસ્તારમાં એક બૂથ પર પુનઃ મતદાનમાં 47.1 ટકા મતદાન નોંધાયું હતું. કિશુપુરામાં મતદાન મથક નંબર 71 હેઠળના બૂથ નંબર 3 પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
ભાવનગરના તળાજામાં ભરબજારે થયેલી 7.5 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટ ચલાવનાર ગેંગના 4 સભ્યોને પોલીસે ભાવનગરથી ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટના જોઇએ તો તળાજામાં પહલ ફાયનાન્સ બ્રાન્ચમાં નોકરી કરતા હેતલબેન ભાલીયા બેંકમાં કલેક્શન જમા કરાવવા જઈ રહ્યા હતા, આ દરમિયાન લૂંટારૂઓએ તેમનું રૂપિયા ભરેલું પર્સ ઝૂંટવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ચલાવેલી લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં રોડ માર્ગે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીયોને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
લોકસભાની એથિક્સ કમિટીએ દાનિશ અલી અને રમેશ બિધુરીને 7 ડિસેમ્બરે કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અસંસદીય શબ્દોના ઉપયોગના કિસ્સામાં સમિતિ બંનેના મૌખિક નિવેદનો લેશે.
ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિને લઈને એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં રોડ માર્ગે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીયોને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતને કતારથી આસાનીથી હરાવ્યું છે, જેના કારણે ટેબલમાં ટોચ પર તેની લીડ વધી છે. કતારે ટીમ ઈન્ડિયાને 0-3ના સ્કોરથી હરાવ્યું છે.
પંકજ અડવાણીની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પંકજે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેણે 2005માં IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તે ગ્રાન્ડ ડબલ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ગુજરાત વિદ્યાપીઠમાં સત્તામંડળ બદલાયા બાદ લેવાયેલા નિર્ણયો હંમેશાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે વધુ એક વાર ગુજરાત વિદ્યાપીઠના આશ્રમ રોડ સ્થિત કેમ્પસના પ્રવેશ દ્વારને લઈને લેવાયેલ નિર્ણય ચર્ચાનું વિષય બન્યો છે. અચાનક જ વિદ્યાપીઠનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉપયોગમાં લેવાનું બંધ કર્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
વર્ષ 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુલાકાતઓની અવરજવર માટે આશ્રમ રોડની પાસે અડીને આવેલ મુખ્ય પ્રવેશવાનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા ટ્રાફિક અને સલામતીનું કારણ હાથ ધરીને આ ગેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ હવે વિદ્યાર્થીઓ 103 વર્ષથી ખુલ્લા રહેલા મુખ્ય પ્રવેશ દ્વારને બદલે અન્ય દરવાજેથી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવશે.
આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ટી20 સિરીઝમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હવે 23 નવેમ્બરથી પાંચ મેચની ટી20 સિરીઝ રમશે.
રવી સિઝનની શરુઆત સાથે જ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ અનેક વિસ્તારોમાં કેનાલ પર આશા રાખી રહ્યા છે. થરાદ વિસ્તારમાં ખેડૂતોએ રજૂઆત છતાં પણ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહિં છોડાતા ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં નર્મદા વિભાગની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી.
ચિત્રકૂટ જિલ્લામાં પ્રયાગરાજ-ચિત્રકૂટ હાઈવે પર રોડવેઝ બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. 6 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે પ્રયાગરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ આપી છે.
પંજાબના મંત્રી મીત હૈરનું કદ ઘટી ગયું છે. તેમની પાસેથી ખાણ ખનીજ વિભાગ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ વિભાગ મીટ હરે પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો હતો અને ચેતન સિંહ જોરામાજરાને આપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં એક અકસ્માતમાં બે કારમાં સવારમાં લોકોને જાણે કે સહેજ માટે જીવ બચી ગયો હતો. બંને કારમાં સવાર લોકોને નવી જિંદગી મળ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજી નજીક એક હાઈડ્રોલીક ટ્રક પથ્થર ભરેલી હતી અને જે પલટી ગઈ હતી. બાજુમાંથી જ પસાર થતી બે કાર પર પથ્થર પડવાને લઈ બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારને જોતા જ દેખાઈ આવે છે કે કારમાં સવાર લોકો નસીબદાર રહ્યા છે. મોંઘીદાટ કારનો પળવારમાં જ કચ્ચરઘાણ વળી ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 23 નવેમ્બરના રોજ માત્ર બ્રજ રાજ ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં હેમા માલિની મીરાબાઈના જીવન પર આધારિત નૃત્ય નાટક રજૂ કરશે. આ પહેલા પીએમ મોદી મથુરામાં બાંકે બિહારી મંદિર અને કૃષ્ણ જન્મભૂમિની મુલાકાતે પણ જવાના હતા, પરંતુ તે દિવસે દેવોત્થાન એકાદશી પર ભારે ભીડને કારણે પીએમના પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કોટામાં કહ્યું કે ચંબલ રિવર ફ્રન્ટ કૌભાંડ કોંગ્રેસના શાસન દરમિયાન થયું હતું. બળજબરીથી બેલ ખોલીને બે લોકોના જીવ છીનવી લેવાયા હતા. ભાજપ આ કૌભાંડની તપાસ કરાવશે. કોંગ્રેસે રાજસ્થાનને તોફાનીઓ માટે ખુલ્લું મેદાન બનાવ્યું. પ્રતિબંધ હોવા છતાં, કોટામાં PFI રેલી કાઢવામાં આવી છે. રાજસ્થાનમાં રામ નવમી હનુમાન જયંતિની શોભાયાત્રાઓ રોકી દેવામાં આવી છે, પરંતુ PFI રેલી સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાઢવામાં આવી છે.
રાજસ્થાનના કિશનગઢ બાસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગેહલોત સરકારે રાજસ્થાનના 40 લાખ યુવાનો સાથે દગો કર્યો છે. જો રાજસ્થાનમાં અમારી ડબલ એન્જિનની સરકાર આવશે તો અમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને જેલના સળિયા પાછળ ધકેલીશું. આટલા પેપર લીક થયા પછી પણ ગેહલોતજી કહી રહ્યા છે કે મને એક વધુ તક આપો.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે. આજે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં એક મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સ્વામીનાથનના રિપોર્ટના આધારે MSPની ગેરંટી આપતો કાયદો લાવવામાં આવશે.
હવામાન વિભાગે ગુજરાતમાં હવામાન પલટાવાની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24થી 28 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.
ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ઘરના માળિયામાં રહેલા વેન્ટિલેશનમાં બાકોરું પાડીને લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જે ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પટેલને બાનમાં લઈ દાગીના અને રોકડ મળી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
ગોધરા દાહોદ હાઇવે ઉપર બે ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે. અકસ્માતમાં લકઝરીમાં બેઠેલા ચાર મુસાફરોના મોત નિપજ્યા છે. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી સમારકામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન આ જ માર્ગ ઉપરથી પસાર થતી અન્ય ખાનગી લકઝરી બસના ચાલકે માર્ગ ઉપર ઉભેલી લકઝરી બસને ટક્કર મારી હતી. મૃતકોમાં 2 બાળકો અને એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડના ઉતરકાશીની નિર્માણાધીન ટનલમાં થયેલા ભૂસ્ખલનને કારણે છેલ્લા આઠ દિવસથી 41 શ્રમિકો ટનલની અંદર ફસાઈ ગયા છે. આઠ દિવસ બાદ, ટનલમાં મોકલવામાં આવેલા કેમેરાથી શ્રમિકોની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં સૌ કામદારો સ્વસ્થ અને હેમખેમ હોવાનું જણાયું છે. આ અંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી છે.
सिल्क्यारा, उत्तरकाशी में निर्माणाधीन टनल में फँसे श्रमिकों की पहली बार तस्वीर प्राप्त हुई है। सभी श्रमिक भाई पूरी तरह सुरक्षित हैं, हम उन्हें शीघ्र सकुशल बाहर निकालने हेतु पूरी ताक़त के साथ प्रयासरत हैं। pic.twitter.com/OO8u99B5Ks
— Pushkar Singh Dhami (@pushkardhami) November 21, 2023
અફઘાનિસ્તાનમાં આજે મધ્યરાત્રિના સમયે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 મેગ્નીટ્યુડ નોંધાઈ છે. ભૂકંપના આંચકાને કારણે જાનમાલને નુકસાન થયા અંગેની કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી.
Earthquake of Magnitude 4.1 strikes Afghanistan: National Center for Seismology pic.twitter.com/dmHH2gLnDX
— ANI (@ANI) November 20, 2023
Published On - 6:32 am, Tue, 21 November 23